શોધખોળ કરો

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા, 'આનંદપાલ એન્કાઉન્ટર બાદ આવ્યા હતા ચર્ચામાં, જાણો શું છે સંપૂર્ણ કહાણી

રાજધાની જયપુરમાં હત્યાનો ભોગ બનેલા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી લગભગ છ વર્ષ પહેલા ગેંગસ્ટર આનંદપાલના એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં થયેલા વિરોધને કારણે ચર્ચામાં આવ્યા હતા.

Sukhdev Singh Gogamedi: રાજધાની જયપુરમાં  હત્યાનો ભોગ બનેલા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી લગભગ છ વર્ષ પહેલા ગેંગસ્ટર આનંદપાલના એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં થયેલા વિરોધને કારણે ચર્ચામાં આવ્યા હતા. તે પછી તે ફિલ્મ પદ્માવતના વિરોધમાં પણ સૌથી આગળ હતા.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ઘોળે દિવસે થયેલી હત્યા બાદ રાજધાની જયપુરની શેરીઓમાં કરણીસેનાના કાર્યકર્તા રોડ પર ઉતર્યા હતા અને હત્યાનો વિરોધ કરતા જોવા મળ્યા.  કરણી સેનાના કાર્યકરો અને રાજપૂત સમાજના હજારો લોકો આ હત્યાકાંડના વિરોધમાં બહાર આવ્યા છે. જો કે સુખદેવ સિંહ ગોગામેડી પહેલાથી જ કરણી સેના સાથે સંકળાયેલા છે, પરંતુ તેઓ વર્ષ 2017માં રાજસ્થાનના ચુરુ જિલ્લામાં 'ગેંગસ્ટર આનંદપાલ'ના એન્કાઉન્ટર દરમિયાન અને ત્યારબાદ ફિલ્મ 'પદ્માવત'ના વિરોધ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.

લગભગ 50 વર્ષીય સુખદેવ સિંહ ગોગામેડી હનુમાનગઢ જિલ્લાના ગોગામેડીનો રહેવાસી હતો. તેઓ લાંબા સમયથી કરણી સેના સાથે જોડાયેલા છે. પરંતુ આનંદપાલ એન્કાઉન્ટર કેસને લઈને રાજસ્થાનમાં થયેલા ઉગ્ર વિરોધ અને ફિલ્મ પદ્માવતને લઈને દેશભરમાં થયેલા હોબાળાને કારણે સુખદેવ સિંહ ગોગામેડી ચર્ચામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની દાદાગીરીના ઘણા વીડિયો વાયરલ થયા હતા, સમય જતાં  તેમના સમર્થકોની સંખ્યામાં વધારો થયો હતો.

બસપા તરફથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી

રાજપૂત સમાજના ઘણા યુવાનો તેમના વર્ચસ્વથી પ્રભાવિત થયા અને તેમને અનુસરવા લાગ્યા. સોશ્યિલ મીડિયામાં સુખદેવ ખૂબ જ લોકપ્રિય થયા. પરંતુ પાછળથી, કેટલાક મતભેદોને કારણે, તેમણે કરણી સેના છોડી દીધી અને અલગથી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની રચના કરી અને તેના પ્રમુખ બન્યા. આ પહેલા 2013માં સુખદેવ સિંહ હનુમાનગઢની ભદ્રા સીટથી બસપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ જીતી શક્યા ન હતા. તે પોતાના નિવેદનો અને વીડિયોને લઈને ઘણી વખત વિવાદોમાં રહ્યો હતા.

ધોળે દિવસે ઘરમાં ઘૂસી મારી ગોળી

મંગળવારે રાજધાની જયપુરના પોશ વિસ્તાર શ્યામ નગરમાં સુખદેવ સિંહ ગોગામેડીની ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પર ગોળીઓ ચલાવી હતી. જેના કારણે સુખદેવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાખોરોએ સુખદેવને છાતી અને માથામાં ગોળી મારી હતી. જેના કારણે વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત થયું હતું. હુમલાખોરો વિશે હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. પોલીસ તેમને શોધી રહી છે. લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ આ હત્યાની જવાબદારી લીધી છે.

ટોપ સ્ટોરી

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget