શોધખોળ કરો

SC Decision:સુપ્રીમ કોર્ટમાં ડોગ લવર્સની જીત, રસીકરણ બાદ તેના જ વિસ્તારમાં ફરી છોડી દેવાશે

રખડતા કૂતરાઓ પરની સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જાહેર કરી છે. કોર્ટે કહ્યું કે બીમાર અને આક્રમક કૂતરાઓને ફક્ત આશ્રય ગૃહોમાં જ રાખવામાં આવશે બાકીના કૂતરાને રસીકરણ બાદ છોડી દેવાશે

દિલ્હી NCRમાં રખડતા કૂતરાઓના કેસમાં શ્વાન પ્રેમીઓને મોટી જીત મળી છે. સુપ્રીમ કોર્ટે પકડાયેલા રખડતા કૂતરાઓને રસી આપવાનો અને તેમને તે જ વિસ્તારમાં પાછા છોડી દેવાનો આદેશ આપ્યો છે જ્યાંથી તેઓ પકડાયા હતા (Supreme Court On Stray Dogs). તમને જણાવી દઈએ કે આ નિર્ણય ત્રણ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ NV અંજારિયાની બેન્ચે શ્વાન પ્રેમીઓના હિતમાં આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને આશ્રય ગૃહોમાં મોકલવાના પોતાના આદેશમાં સુધારો કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેટલીક બાબતોનો કડક અમલ કરવાનો પણ આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ છે. આવું કરનાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં કૂતરાઓને ખવડાવવાની મંજૂરી નથી. રખડતા કૂતરાઓ માટે અલગ ખોરાક આપવાની જગ્યા બનાવવામાં આવશે.

રસીકરણ પછી કૂતરાઓને છોડી દેવામાં આવશે

સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશમાં સુધારો કર્યો છે અને કૂતરાઓને સમાજમાં પાછા છોડવા પરનો પ્રતિબંધ દૂર કર્યો છે. કોર્ટે કહ્યું કે હડકવા અને ખતરનાક કૂતરાઓને છોડવા ન જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે પકડાયેલા કૂતરાઓને રસીકરણ પછી છોડી દેવા જોઈએ. આ ઉપરાંત, બીમાર અને આક્રમક કૂતરાઓને ફક્ત આશ્રય ગૃહોમાં જ રાખવામાં આવશે. કોર્ટે કહ્યું કે દરેક વિસ્તારમાં એક નિયુક્ત જગ્યા બનાવવી જોઈએ જેથી કૂતરાઓને  જ્યાં ત્યાં  ખવડાવવામાં ન આવે.

કુતરાઓને દરેક જગ્યાએ ખવડાવવામાં આવશે નહીં - કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને ખવડાવવા સામે કાર્યવાહી કરવામાં આવશે. કૂતરા પકડવાની ટીમના કામમાં અવરોધ ઊભો કરનાર વ્યક્તિને 25,000 રૂપિયાનો દંડ અને NGOને 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ફરિયાદ નોંધાવવા માટે કોર્ટે હેલ્પલાઇન નંબર જારી કરવાનો નિર્દેશ આપ્યો.

પશુપ્રેમીઓ કૂતરાઓને દત્તક લેવા માટે MCD ને અરજી કરી શકે છે. એક વખત દત્તક લીધેલા કૂતરાઓને ફરીથી રસ્તાઓ પર ન છોડવામાં આવે તેની ખાતરી કરવાની તેમની જવાબદારી રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રખડતા કૂતરાઓ અંગે રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવશે. કોર્ટે આદેશનો વ્યાપ વધાર્યો અને કહ્યું કે હવે જે પણ સૂચનાઓ આપવામાં આવશે તે આખા દેશને લાગુ પડશે. 11  ઓગસ્ટ, 2025 ના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરના રખડતા કૂતરાઓને આશ્રય ગૃહોમાં રાખવાનો આદેશ પસાર કર્યો, જેની સામે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આ નિર્ણય સામે પશુ પ્રેમીઓએ ઇન્ડિયા ગેટ પર મીણબત્તી માર્ચ પણ કાઢી હતી.

 

હડકાયા અને આક્રમક કૂતરાઓને છોડવામાં આવશે નહીં - સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં રખડતા કૂતરાઓ અંગે કેટલીક 'લક્ષ્મણ રેખા' પણ ખેંચી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હડકાયા અને આક્રમક કૂતરાઓને છોડવામાં આવશે નહીં.

રખડતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટનો 11 ઓગસ્ટનો આદેશ સસ્પેન્ડ

જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ત્રણ જજોની બેન્ચે ચુકાદો આપતાં કહ્યું કે, 11 ઓગસ્ટના આદેશને હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવશે. તે આદેશમાં, આશ્રયસ્થાનમાંથી રખડતા કૂતરાઓને છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

કૂતરાઓના આક્રમણ માટે MCD જવાબદાર છે –ડોગ લવર્સ

કૂતરા પ્રેમીઓ કૂતરા કરડવા માટે MCD ને દોષી ઠેરવી રહ્યા છે અને તેના વિશે દલીલ કરી રહ્યા છે. તેઓ કહે છે કે MCD કર્મચારીઓ કૂતરાઓને ક્રૂરતાથી પકડી લે છે અને તેમના પર બળનો ઉપયોગ કરે છે. આ પછી, જ્યારે તેમને છોડી દેવામાં આવે છે, ત્યારે તેઓ આક્રમક બની જાય છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
Embed widget