શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં કોરોનાથી થયું પ્રથમ મોત, જાણો વિગત

મુંબઈથી નવસારી આવેલા 90 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતાં તેની સારવાર ચાલી રહી હતી, જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

નવસારીઃ ગુજરાતમાં કોરોનાથી સતત મોત થઈ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. મુંબઈથી નવસારી આવેલા 90 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતાં તેની સારવાર ચાલી રહી હતી, જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. નવસારીના સ્ટેશન વિસ્તારમાં રહેતા વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત થયું છે. શહેરમાં મોત ને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ગઈ કાલ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 1092 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 888 લોકોના મોત થયા છે. ગઈ કાલે ગુજરાતમાં 415 કેસ નોંધાયા હતા. જેમાંથી અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, ભરુચમાં 4, દાહોદમાં 4, ખેડામાં 3, પંચમહાલ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં એક-એક કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગઈ કાલે 29 લોકોના કોરોનાને કારણે દુઃખદ નિધન થયાં છે, જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 અને સુરત, મહેસાણા અને જૂનાગઢમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ અને ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, રાજ્યમાં એક્ટીવ દર્દીઓના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 15 દિવસ પહેલા 53.19 ટકાની સામે હવે એક્ટિવ દર્દીઓ ઘટીને 26.35 ટકા થયા છે. ગુજરાતમાં હાલ, 4631 એક્ટિવ કેસ છે. જ્યારે અમદાવાદમાં 3158 એક્ટિવ કેસ છે. ગુજરાત માટે મોટી રાહતના સમાચાર એ પણ છે કે, અત્યાર સુધીમાં ગઈ કાલે સૌથી વધારે 1114 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એવી જ રીતે અમદાવાદમાં પણ સૌથી વધુ 1019 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગઈ કાલે અમદાવાદ પછી સુરતમાં 32, સાબરકાંઠામાં 20, વડોદરામાં 9, કચ્છમાં 7, દાહોદમાં 4, ખેડામાં 4, આણંદમાં 3, અરવલ્લીમાં 3, મહેસાણામાં 3, ગાંધીનગરમાં 2, ગીરસોમનાથમાં 2, રાજકોટમાં 2, તાપીમાં 2, જૂનાગઢમાં 1 અને પાટણમાં એક દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget