શોધખોળ કરો

મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા કયા ધારાસભ્યે કહ્યું, 'ભાજપ માટે મારી બેઠક જીતવી હવે અઘરી'

પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં પોતાની બેઠક ભાજપ માટે જીતવી હવે અઘરી બનશે તેમ જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, સુરતની વરાછા બેઠક જીતવી ભાજપ માટે હવે અઘરી છે.

સુરતઃ આજે નવા મંત્રીમંડળની શપથવિધિ પૂરી થઈ છે અને થોડીવારમાં નવા મંત્રીઓના ખાતાની વહેંચણી પણ થઈ જશે. બીજી તરફ મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા નેતાઓનો અસંતોષ ધીમે ધીમે બહાર આવવાનો શરૂ થયો છે. રાજ્યકક્ષાના પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં પોતાની બેઠક ભાજપ માટે જીતવી હવે અઘરી બનશે તેમ જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, સુરતની વરાછા બેઠક જીતવી ભાજપ માટે હવે અઘરી છે. તેમણે વરાછા બેઠક પર આપનું વર્ચસ્વ વધ્યું હોવાનો દાવો કર્યો હતો. તેમણે વરાછા બેઠક પર ભાજપના મતદારો વિમુખ થયા હોવાનું પણ નિવેદન આપ્યું હતું. 

આજે ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ પછી તેમણે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશ.તેમણે જણાવ્યું હતું કે, હું 40 વર્ષથી રાજનીતિમાં સક્રિય છું. લોકો હોદ્દાને માન આપે છે, પણ આ લોકચાહના મારી વર્ષોની મહેનત છે. મેં નિષ્ઠા પૂર્વક કામગીરી કરી છે. હું 20 વર્ષ મંત્રી રહ્યો, વિધાનસભામાં પણ સક્રિય રહ્યો. 

તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે. ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષે નક્કી કરવાનું છે. 2022ની ચૂંટણી હું મહેસાણાતી લડીશ. આત્મારામ પટેલ માટે મેં રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી. મેં  કોઈ દિવસ સત્તા માટે વલખા નથી માર્યા, ખુશામત નથી કરી. ગુજરાતની ભાજપની સરકારમાં સૌથી વધુ વખત મંત્રી બનાવાની તક મળી. મેં 10 મહત્વાના વિભાગો સંભાળ્યા. હું ક્યારે સત્તાના પાછળ ફર્યો નથી. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫  અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. 
 
રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ,  પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં. 

જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.  

આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ  સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો
Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને
Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget