![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના કયા શહેરે બનાવ્યો કોરોનાની રસીના પહેલા 100 ટકા ડોઝ લેવાનો રેકોર્ડ? જાણો વિગત
કોરોના રસીકરણને લઈને ગુજરાતના સુરત શહેરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત દેશમાં પ્રથમ 100 ટકા પ્રથમ ડોઝ વેકસીન પૂરું કરનારું શહેર બન્યું છે. 48 % લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
![ગુજરાતના કયા શહેરે બનાવ્યો કોરોનાની રસીના પહેલા 100 ટકા ડોઝ લેવાનો રેકોર્ડ? જાણો વિગત Gujarat Corona vaccination : Surat record of 100 percent first dose of covid-19 vaccine ગુજરાતના કયા શહેરે બનાવ્યો કોરોનાની રસીના પહેલા 100 ટકા ડોઝ લેવાનો રેકોર્ડ? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/17/422554257e797cff5ff8ec6bcaf7f611_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ ગુજરાતમાં કોરોના રસીકરણ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે કોરોના રસીકરણને લઈને ગુજરાતના સુરત શહેરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત દેશમાં પ્રથમ 100 ટકા પ્રથમ ડોઝ વેકસીન પૂરું કરનારું શહેર બન્યું છે. 48 % લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
લોકોમાં આવેલી જાગૃતિના કારણે આ કામગીરી શક્ય બની હોવાની સુરતના આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હજી પણ મનપા દ્વારા લોકોમાં જન જાગૃતિ લાવવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. રોજેરોજ 70 હજાર ડોઝ આપવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડ્યું છે અને કોરોનાની બીજી લહેર અંત તરફ છે, ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખે લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે. નોંધનીય છે કે, સંક્રમણ ઘટના રાજ્ય સરકારે કોરોનાના નિયમો હળવા કર્યા છે તેમજ આવતી કાલથી શરૂ થતી નવરાત્રિમાં શેરી ગરબાને પરમશીન આપી છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઇએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનું રસીકરણ ખૂબ જ સારું છે. ગુજરાતમાં પણ ઘણાં બધા લોકોએ રસી લઈ લીધી છે. લગભગ 82 ટકા રસીકરણ થઈ ગયું છે. જેને કારણે ફરીથી કોરોના માથું ઉંચકે તો તેનાથી પરિસ્થિતિ ગંભીર થવાની સંભાવના ઘણી ઓછી છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે લોકો બેદરકારીથી ફરીએ. આપણે તમામે હજુ પણ માસ્ક પહેરવું જ પડશે. કારણ કે, ઘણા બધા લોકો એવા છે, જેને હજુ એક જ ડોઝ લીધો છે અને એમનો બીજો ડોઝ લેવાનો બાકી છે. એવા લોકો ઝડપથી બીજો ડોઝ લઈ લે.
ડો. મોના દેસાઇએ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, તેમણે નવરાત્રિ-દિવાળીના તહેવારોમાં લોકોને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)