![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના આ ગામમાં આશ્રમશાળાના ૬ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ
ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1122 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.
![ગુજરાતના આ ગામમાં આશ્રમશાળાના ૬ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ In this village of Gujarat, the school was closed for 14 days after 6 students of the ashram school tested positive ગુજરાતના આ ગામમાં આશ્રમશાળાના ૬ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/18/630faf14b10f2d218dbaf0fd7e328313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત, રાજકોટની સાથે નવસારીમાં પણ સ્કૂલોમાંથી કોરોનાના કેસમાં વધારો થયો છે. વાંસદાના રાયબોરમાં આશ્રમશાળાના ૬ વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતા શાળા ૧૪ દિવસ બંધ કરાઈ છે. સાથે જ સ્કૂલોના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે તેમને હોમ ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે.પરંતુ એક જ સ્કૂલમાંથી એક સાથે 6 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ અને આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1122 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. ગઈકાલે 775 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,71,433 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.54 ટકા પર પહોંચ્યો છે. હાલ 5310 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 લોકો વેન્ટિલેટર પર અને 5249 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4430 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 2,81,176 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 315, અમદાવાદ કોર્પોરેશનમાં 264, રાજકોટ કોર્પોરેશનમાં 88, વડોદરા કોર્પોરેશનમાં 97, સુરતમાં 38, રાજકોટ-24, ભરુચ-21, મહેસાણા-19, જામનગર કોર્પોરેશન -18, ખેડા-18, પંચમહાલ-18, વડોદરા-17, ભાવનગર કોર્પોરેશન-15, ગાંધીનગર કોર્પોરેશન-14, કચ્છ-14, આણંદ-13, દાહોદ-12, નર્મદા-12, ગાંધીનગર-10, સાબરકાંઠામાં 10, છોટા ઉદેપુર-9, અમરેલી-8, જુનાગઢ કોર્પોરેશ-8, મહીસાગર-8, મોરબી-8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
સુરત કોર્પોરેશનમાં 205, અમદાવાદ કોર્પોરેશનમાં 205, વડોદરા કોર્પોરેશનમાં 75, રાજકોટ કોર્પોરેશનમાં 71, સુરતમાં 29, રાજકોટ-13, ભરુચ-22, મહેસાણા-11, જામનગર કોર્પોરેશન -4, ખેડા-12 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,71,145 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,54,662 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 67,734 લોકોને રસી આપવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)