શોધખોળ કરો

નરેશ પટેલ કમૂરતાં પતે પછી રાજકારણમાં કરશે પ્રવેશ ? જાણો વાપીમાં શું કર્યો હુંકાર ?

મીડિયા સાથે વાતચીતમાં પોતે ખોડલધામના પાટોત્સવ બાદ રાજકારણમાં આવશે એવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. રાજકારણમાં પ્રવેશ વિશેની વાત પાટોત્સવનો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી નહીં કરવા વિનંતી કરી હતી.

સુરતઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હુંકાર કર્યો છે કે, ભલે ગમે તેવાં વાવાઝોડાં આવે પણ કોઈ વાવાઝોડું નરેશ પટેલને હલાવી નહીં શકે. નરેશ પટેલે સમાજના લોકોને સારા લોકોને રાજકારણમાં મોકલવા પણ અપીલ કરી હતી. સાથે એવી પણ ટકોર કરી કે ખુરશી મળ્યા પછી જેનું ધ્યાન સમાજ પરથી ન હટે તેવા લોકોને ચૂંટણી જીતાડજો અને રાજકારણમાં મોકલજો.

જાહેર મંચ પરથી રાજકારણ અંગે સ્પષ્ટ રીતે પોતાનો મત વ્યક્ત કરનાર નરેશ પટેલે કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીતમાં પોતે ખોડલધામના પાટોત્સવ બાદ એટલે કે 21 જાન્યુઆરી પછી રાજકારણમાં આવશે એવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. તેમણે પોતાના રાજકારણમાં પ્રવેશ વિશેની વાત ખોડલધામ ખાતે પાટોત્સવનો કાર્યક્પમ પૂર્ણ ન થાય ત્યાં સુધી નહીં કરવા વિનંતી કરી હતી.  નરેશ પટેલ આ નિવેદન આપીને  આડકતરી રીતે તેઓ ખોડલધામના પાંચમા પાટોત્સવ બાદ રાજકારણની નવી સફર શરૂ કરે તેવો આડકતરો ઇશારો કરી દીધો છે.  

ગુજરાતમાં લેઉઆ પાટીદારોનાં કુળદેવી ખોડિયાર માતાના સૌથી મોટા મંદિર ખોડલધામ ખાતે પાટોત્સવની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ખોડલધામમાં યોજાનારો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે. આ કાર્યક્રમ માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસના ભાગરૂપે વાપી આવેલા નરેશ પટેલે મંચ પરથી આ અપીલ કરી હતી.

ખોડલધામ કાગવડ અને પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસથી ખોડલધામના પાંચમા પાટોત્સવનું આમંત્રણ આપવા રાજ્યભરમાં પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રવાસ અંતર્ગત નરેશ પટેલ સોમવારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના વાપી પહોંચ્યા હતા.  પટેલ સમાજને સંબોધતા નરેશ પટેલે જાહેર મંચ પરથી રાજકારણ વિશે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

નરેશ પટેલે રાજકારણમાં સારો માણસ આવે એ જોવા લોકોને વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, ખોડલધામમાં જેની આસ્થા હોય એ આવે  અને અમે કોઈને પણ  રોકી ના શકીએ. તેમણ કહ્યું કે, હું એક મોટી સંસ્થાનું નેતૃત્વ કરું છું તેથી બધાં સાથે  બેલેન્સ કર ને ચાલવું પડે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Embed widget