શોધખોળ કરો

Surat: સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો, અત્યાર સુધીમાં શહેરમાં 17 લોકોના મોત

સતત વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાના કારણે સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે

સતત વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાના કારણે સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના મગદલ્લાના યુવક અને પાલની મહિલાનું મોત થયું હતું.  પાલ વિસ્તારની એક મહિલા અને મગદલ્લા વિસ્તારના એક યુવકને તાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે ત્રણ દિવસની ટૂંકી સારવારમાં જ બંને લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી બાજુ ઝેરી મેલેરિયા, કોલેરા સહિતના કેસના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં રોગચાળાના કારણે 17 લોકોના મોત થયા છે.


Surat: સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો, અત્યાર સુધીમાં શહેરમાં 17 લોકોના મોત

બીજી તરફ અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.  30 જૂલાઈ સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના 174, મેલેરિયાના 81, ચિકનગુનિયાના 9 તથા ઝેરી મેલેરિયાના ત્રણ કેસ નોંધાયા હતા. ટાઈફોઈડના 451, કમળાના 116 તથા કોલેરાના 6 કેસ નોંધાયા હતા.  મનપાના આરોગ્ય વિભાગે 28 જૂલાઈ તથા એક ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ એકમમાં મચ્છર અને મચ્છરના પોરા શોધવા તપાસ હાથ ધરી હતી.  આ તપાસ સમયે 725 એકમની તપાસ કરી 448 એકમને નોટિસ આપી ૯ લાખ રૂપિયાથી વધુ રકમનો દંડ ફટકાર્યો હતો. તો ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલ શિવાલય કોમ્પલેકસના બેઝમેન્ટમાંથી મચ્છરના પોરા મળતા સીલ મરાયુ હતું.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આંખ આવવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.  અરવલ્લી જિલ્લા મેઘરજમાં હરિઓમ આશ્રમ શાળામાં એક સાથે 39 વિદ્યાર્થીઓને આંખ આવવાની બીમારી થઈ હતી.  હાલમાં તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.  તો આરોગ્ય વિભાગે પણ દર્દીઓને ચશ્મા પહેરી રાખવા અને ભીડવાળી જગ્યા પર ન જવા માટે અપીલ કરી છે.

અમદાવાદમાં આંખો આવવાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવતા કેસમાં ઘટાડો થયો છે. એક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અંદાજીત 150 થી 200 જેટલા દર્દીઓ તપાસ કરાવી રહ્યા છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 75000 જેટલા ટીપાનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી સમયમાં આંખ આવવાના કિસ્સાઓમાં ઘટાડો થવાનું આંકલન છે.

આંખના ફ્લૂના વધતા જતા કેસ વિશે વાત કરતા નિષ્ણાંતે જણાવ્યું છે કે વરસાદની સાથે દેશના મોટાભાગના ભાગોમાં આંખની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આંખોમાં વાયરલ અને બેક્ટેરિયલ બંને ચેપ જોવા મળી રહ્યા છે. આંખની સમસ્યાઓથી પીડિત મોટાભાગના લોકોને આંખમાં બળતરાની સમસ્યા થાય છે.  સામાન્ય રીતે હવામાનમાં ભેજ અને ભેજવાળી ગરમીને કારણે નેત્રસ્તર દાહ (આંખના ફ્લૂ)ના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. જો કે, આ વખતે દર વર્ષની સરખામણીમાં વધુ દર્દીઓ આવી રહ્યા છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget