શોધખોળ કરો

Surat: સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો, અત્યાર સુધીમાં શહેરમાં 17 લોકોના મોત

સતત વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાના કારણે સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે

સતત વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાના કારણે સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના મગદલ્લાના યુવક અને પાલની મહિલાનું મોત થયું હતું.  પાલ વિસ્તારની એક મહિલા અને મગદલ્લા વિસ્તારના એક યુવકને તાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે ત્રણ દિવસની ટૂંકી સારવારમાં જ બંને લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી બાજુ ઝેરી મેલેરિયા, કોલેરા સહિતના કેસના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં રોગચાળાના કારણે 17 લોકોના મોત થયા છે.


Surat: સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો, અત્યાર સુધીમાં શહેરમાં 17 લોકોના મોત

બીજી તરફ અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.  30 જૂલાઈ સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના 174, મેલેરિયાના 81, ચિકનગુનિયાના 9 તથા ઝેરી મેલેરિયાના ત્રણ કેસ નોંધાયા હતા. ટાઈફોઈડના 451, કમળાના 116 તથા કોલેરાના 6 કેસ નોંધાયા હતા.  મનપાના આરોગ્ય વિભાગે 28 જૂલાઈ તથા એક ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ એકમમાં મચ્છર અને મચ્છરના પોરા શોધવા તપાસ હાથ ધરી હતી.  આ તપાસ સમયે 725 એકમની તપાસ કરી 448 એકમને નોટિસ આપી ૯ લાખ રૂપિયાથી વધુ રકમનો દંડ ફટકાર્યો હતો. તો ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલ શિવાલય કોમ્પલેકસના બેઝમેન્ટમાંથી મચ્છરના પોરા મળતા સીલ મરાયુ હતું.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આંખ આવવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.  અરવલ્લી જિલ્લા મેઘરજમાં હરિઓમ આશ્રમ શાળામાં એક સાથે 39 વિદ્યાર્થીઓને આંખ આવવાની બીમારી થઈ હતી.  હાલમાં તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.  તો આરોગ્ય વિભાગે પણ દર્દીઓને ચશ્મા પહેરી રાખવા અને ભીડવાળી જગ્યા પર ન જવા માટે અપીલ કરી છે.

અમદાવાદમાં આંખો આવવાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવતા કેસમાં ઘટાડો થયો છે. એક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અંદાજીત 150 થી 200 જેટલા દર્દીઓ તપાસ કરાવી રહ્યા છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 75000 જેટલા ટીપાનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી સમયમાં આંખ આવવાના કિસ્સાઓમાં ઘટાડો થવાનું આંકલન છે.

આંખના ફ્લૂના વધતા જતા કેસ વિશે વાત કરતા નિષ્ણાંતે જણાવ્યું છે કે વરસાદની સાથે દેશના મોટાભાગના ભાગોમાં આંખની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આંખોમાં વાયરલ અને બેક્ટેરિયલ બંને ચેપ જોવા મળી રહ્યા છે. આંખની સમસ્યાઓથી પીડિત મોટાભાગના લોકોને આંખમાં બળતરાની સમસ્યા થાય છે.  સામાન્ય રીતે હવામાનમાં ભેજ અને ભેજવાળી ગરમીને કારણે નેત્રસ્તર દાહ (આંખના ફ્લૂ)ના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. જો કે, આ વખતે દર વર્ષની સરખામણીમાં વધુ દર્દીઓ આવી રહ્યા છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Embed widget