શોધખોળ કરો

Surat: સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો, અત્યાર સુધીમાં શહેરમાં 17 લોકોના મોત

સતત વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાના કારણે સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે

સતત વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાના કારણે સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના મગદલ્લાના યુવક અને પાલની મહિલાનું મોત થયું હતું.  પાલ વિસ્તારની એક મહિલા અને મગદલ્લા વિસ્તારના એક યુવકને તાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે ત્રણ દિવસની ટૂંકી સારવારમાં જ બંને લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી બાજુ ઝેરી મેલેરિયા, કોલેરા સહિતના કેસના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં રોગચાળાના કારણે 17 લોકોના મોત થયા છે.


Surat: સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો, અત્યાર સુધીમાં શહેરમાં 17 લોકોના મોત

બીજી તરફ અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.  30 જૂલાઈ સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના 174, મેલેરિયાના 81, ચિકનગુનિયાના 9 તથા ઝેરી મેલેરિયાના ત્રણ કેસ નોંધાયા હતા. ટાઈફોઈડના 451, કમળાના 116 તથા કોલેરાના 6 કેસ નોંધાયા હતા.  મનપાના આરોગ્ય વિભાગે 28 જૂલાઈ તથા એક ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ એકમમાં મચ્છર અને મચ્છરના પોરા શોધવા તપાસ હાથ ધરી હતી.  આ તપાસ સમયે 725 એકમની તપાસ કરી 448 એકમને નોટિસ આપી ૯ લાખ રૂપિયાથી વધુ રકમનો દંડ ફટકાર્યો હતો. તો ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલ શિવાલય કોમ્પલેકસના બેઝમેન્ટમાંથી મચ્છરના પોરા મળતા સીલ મરાયુ હતું.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આંખ આવવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.  અરવલ્લી જિલ્લા મેઘરજમાં હરિઓમ આશ્રમ શાળામાં એક સાથે 39 વિદ્યાર્થીઓને આંખ આવવાની બીમારી થઈ હતી.  હાલમાં તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.  તો આરોગ્ય વિભાગે પણ દર્દીઓને ચશ્મા પહેરી રાખવા અને ભીડવાળી જગ્યા પર ન જવા માટે અપીલ કરી છે.

અમદાવાદમાં આંખો આવવાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવતા કેસમાં ઘટાડો થયો છે. એક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અંદાજીત 150 થી 200 જેટલા દર્દીઓ તપાસ કરાવી રહ્યા છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 75000 જેટલા ટીપાનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી સમયમાં આંખ આવવાના કિસ્સાઓમાં ઘટાડો થવાનું આંકલન છે.

આંખના ફ્લૂના વધતા જતા કેસ વિશે વાત કરતા નિષ્ણાંતે જણાવ્યું છે કે વરસાદની સાથે દેશના મોટાભાગના ભાગોમાં આંખની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આંખોમાં વાયરલ અને બેક્ટેરિયલ બંને ચેપ જોવા મળી રહ્યા છે. આંખની સમસ્યાઓથી પીડિત મોટાભાગના લોકોને આંખમાં બળતરાની સમસ્યા થાય છે.  સામાન્ય રીતે હવામાનમાં ભેજ અને ભેજવાળી ગરમીને કારણે નેત્રસ્તર દાહ (આંખના ફ્લૂ)ના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. જો કે, આ વખતે દર વર્ષની સરખામણીમાં વધુ દર્દીઓ આવી રહ્યા છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
Embed widget