શોધખોળ કરો

લોકડાઉનની વચ્ચે સુરતમાં કારીગરોએ પોલીસ પર કર્યો પથ્થમારો, વતન નહીં જવા દેતા ઉશ્કેરાયા

સરથાળા પોલીસ સ્ટેશન વિસ્તારના ડાયમંડ નગરમાં શનિવારે મોડી સાંજે કારીગરો અચાનક જ રસ્તા પર ઉતરી આવ્યા હતાં.

સુરતઃ અત્યારે કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. તો મોદી સરકારે પણ કોરોના વાયરસ સામે લડવા માટે સાવચેતીના ભાગ રૂપે 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગેલ ઉદ્યોગ ધંધા બંધ થયા છે. જેની મોટી અસર કાગીગરો અને મજૂરોને પડી છે. લોકડાઉનની શરૂઆતમાં જ હજારો મજૂરો અને કારીગરો ચાલતા પોતાના વતન પહોંચ્યા હતા. જોકે, તંત્ર વધારે કડક બનતા મજૂરો જ્યાં છે ત્યાં જ રહી ગયા છે. લોકડાઉનના સમયે સુરતમાં રહેતા હજારો ઓડિસાવાસીઓએ વતન પાછા ન જવા દેતા ઉશ્કેરાઈને આજે શુક્રવારે રાત્રે હંગામો મચાવ્યો હતો. સાથે સાથે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરીને પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઉપરાંત વતન પાછા જવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી. મળતી વિગતો અનુસાર સરથાળા પોલીસ સ્ટેશન વિસ્તારના ડાયમંડ નગરમાં શનિવારે મોડી સાંજે કારીગરો અચાનક જ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. આ કારીગરોની માંગ હતી કે રોજગાર અને ધંધો બંધ હોવાના કારણે તેમને વતન પરત જવા દેવામાં આવે. કારીગરોને સમજાવવા માટે પોલીસ મથતી રહી પરંતુ અંતે આ સમજાવટ ઘર્ષણમાં બદલી હતી અને કારીગરોએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ અન્ય જગ્યાએ પેટ્રોલિંગ કરતો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 40,000 કરતા વધુ લોકો આ વિસ્તારમાં રહે છે અને આ લોકો પોતાના વતન પાછા જવા માટે પણ પ્રયત્નો કરી હર્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે તંત્ર દિવસ રાત એક કરે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરે ત્યારે કોરોના વાયરસનો ફેલાવાનો ખતરો વધી જાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget