શોધખોળ કરો

War: રશિયા-યૂક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત, એજન્ટ દ્વારા ધંધાર્થે રશિયા પહોંચ્યો હતો હેમિલ

બે વર્ષથી વધુ સમયથી રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ભયાનક યુદ્ધના કારણે બન્ને દેશો વચ્ચે સેનાઓ આમને સામને હથિયારોથી લડી રહી છે

Russia Ukraine War: છેલ્લા બે વર્ષથી ચાલી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા રશિયા અને યૂક્રને યુદ્ધની અસર હવે ભારત પર પણ પડવા લાગી છે. હાલમાં જ ભારતમાથી રશિયા ગયેલા યુવાનોના એક ટોળામાંથી એક યુવાનનુ આ યુદ્ધમાં મોત નીપજ્યુ છે. સુરતના 23 વર્ષીય યુવાન કામાર્થે એજન્ટ મારફતે રશિયા પહોંચ્યો હતો, જ્યાં તેનું આ યુદ્ધના કારણે મોત થયુ છે. હવે આ મામલ ઔવેસીએ પણ ભારતના યુવાનોને બચાવવા માટે સરકારને અપીલ કરી છે. 


War: રશિયા-યૂક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત, એજન્ટ દ્વારા ધંધાર્થે રશિયા પહોંચ્યો હતો હેમિલ

બે વર્ષથી વધુ સમયથી રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ભયાનક યુદ્ધના કારણે બન્ને દેશો વચ્ચે સેનાઓ આમને સામને હથિયારોથી લડી રહી છે. આ યુદ્ધમાં યૂક્રેનને મોટુ નુકસાન પહોંચ્યુ છે, તો વળી રશિયાને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નિરાશા મળી રહી છે. પરંતુ હવે ભારત પણ આ યુદ્ધના કારણે અસરગ્રસ્ત થઇ રહ્યું છે. હાલમાં જ માહિતી મળી છે કે, રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં સુરતના 23 વર્ષીય યુવાનનુ મોત નીપજ્યુ છે. એજન્ટ મારફતે કામ અને ધંધાર્થે રશિયા ગયેલા સુરતના ૨૩ વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ 12 જેટલા યુવાનો કામ માટે રશિયા ગયા હતા, જેમાં હેમિલ માંગુકિયા પણ સામેલ હતો. જોકે, આ યુદ્ધની સ્થિતિમાં તેનું મોત થયુ છે. ખાસ વાત છે કે, રશિયા અને યૂક્રેન યુદ્ધમાંથી હવે ભારતીયોને બચાવવા ફરી એકવાર ઔવેસી જેવા નેતાઓએ સરકારને અપીલ કરી છે. 

રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ પૂર્ણ, યુક્રેનના મંત્રીએ ભારતને લઈ કહી આ મોટી વાત

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે. બીજી વર્ષગાંઠ પર યુક્રેને ભારતને યુદ્ધનો શાંતિપૂર્ણ અંત શોધવાની અપીલ કરી છે. યુક્રેને ભારતને વૈશ્વિક નેતા અને ગ્લોબલ સાઉથનો અવાજ ગણાવ્યો છે. યુક્રેને કહ્યું કે ભારતે રશિયા સામે ચાલી રહેલા યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિએ પણ આશા વ્યક્ત કરી હતી કે ભારત યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

યુક્રેનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ઈરિના બોરોવેટ્સે કહ્યું કે ભારતે શાંતિ શોધના ઉકેલનો ભાગ બનવું જોઈએ. ભારત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નેતાની ભૂમિકા ભજવી રહ્યું છે, તેથી તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ભારતના રશિયા અને અમેરિકા બંને સાથે સારા સંબંધો છે. બોરોવેટ્સે કહ્યું કે સૌ પ્રથમ તો ભારત વૈશ્વિક નેતા છે, જે યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે છે. તે રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે વધુ અડગ પગલાં લઈ શકે છે. બોરોવેટ્સે કહ્યું, પીએમ મોદીએ ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં રશિયન રાષ્ટ્રપતિને પણ કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. આ નિવેદનને સમગ્ર વિશ્વનું સમર્થન મળ્યું. તેમણે કહ્યું કે, યુક્રેને ભારતને માર્ચમાં સ્વિત્ઝરલેન્ડમાં યોજાનારી વૈશ્વિક શાંતિ સમિટમાં આમંત્રણ આપ્યું છે.


Russia – Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ પૂર્ણ, યુક્રેનના મંત્રીએ ભારતને લઈ કહી આ મોટી વાત

રશિયાના રાષ્ટ્રપતિ પહેલા જ પીએમ મોદી પાસેથી આશા વ્યક્ત કરી ચૂક્યા છે

આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે પીએમ મોદી રશિયા-યુક્રેન વિવાદને શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમે પીએમ મોદીના વલણને સમજીએ છીએ. અમે ઘણા પ્રસંગોએ આનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. હું જાણું છું કે તે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. અમે આ વિશે ઊંડાણમાં વાત કરીશું. તેમણે ભારત-રશિયા સંબંધો માટે આભાર વ્યક્ત કર્યો. અમે બંને વિકાસના નવા આયામોને સ્પર્શી રહ્યા છીએ. પુતિને ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારી અંગે પણ વાત કરી હતી.

રશિયન ડ્રોન હુમલામાં ચાર લોકો માર્યા ગયા

રશિયન સૈન્યએ શુક્રવારે યુદ્ધની બે વર્ષની વર્ષગાંઠ પહેલા, યુક્રેનના ઓડેસાના બ્લેક સી બંદરમાં એક વ્યાવસાયિક વિસ્તાર પર ડ્રોન હુમલો કર્યો. હુમલામાં ચાર લોકોના મોત થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Advertisement

વિડિઓઝ

Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Central Govt Employees: સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
WhatsApp New Guidelines: વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ  આઉટ, સરકારના કડક નિયમો જાહેર
વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ આઉટ, સરકારના કડક નિયમો જાહેર
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Embed widget