શોધખોળ કરો

Surat : વધતા કોરોના કેસો વચ્ચે સ્કૂલો શરૂ, આરોગ્ય વિભાગની ચિંતા વધી

વધતા કોરોના કેસો વચ્ચે શાળાઓ શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. 12 થી 14 વર્ષના ૪૦ હજાર બાળકોએ વેક્સિનનો હજુ બીજો ડોઝ લીધો નથી.

સુરતઃ વધતા કોરોના કેસો વચ્ચે શાળાઓ શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. 12 થી 14 વર્ષના ૪૦ હજાર બાળકોએ વેક્સિનનો હજુ બીજો ડોઝ લીધો નથી.  મનપા દ્વારા શહેરના દરેક ઝોનમાં રેન્ડમલી શાળાઓમાં રસીકરણ અને ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ થશે. બીમાર બાળકોને શાળાએ ન મોકલવા વાલીઓને તંત્રની અપીલ. 12 થી 14 વર્ષના બાળકો ને સંપૂર્ણ વેક્સીનેટેડ કરવા પર મનપાનો ભાર.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 111 કેસ નોંધાયા છે. આ સાથે જ  57 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,14,586 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.04 ટકાએ પહોંચી ચુક્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે રાજ્યમાં આજે કુલ 28,679 રસીના ડોઝ અપાયા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 832 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 832 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,586 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી  10,945 નાગરિકોનાં મોત થયા છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.  

અમદાવાદ કોર્પોરેશનમાં 57, વડોદરા કોર્પોરેશન 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 6, ગાંધીનગર 5, રાજકોટ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશન 4, ભાવનગર કોર્પોરેશન 2,  રાજકોટમાં 2, સુરતમાં 2 કેસ નોંધાયા હતા. 

મહારાષ્ટ્રમાં કોરોનાના 1885 નવા કેસ

મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-19ના 1,885 નવા કેસ નોંધાયા બાદ, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 79,12,462 થઈ ગઈ છે. વધુ એક દર્દીના મોત બાદ કુલ મૃત્યુઆંક વધીને 1,47,871 થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. મહારાષ્ટ્રમાં, સોમવારે દૈનિક કેસોની સંખ્યામાં રવિવારની સરખામણીમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રવિવારે રાજ્યમાં 2,946 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા અને બે લોકોના મોત થયા હતા.

મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના ઓમિક્રોન વેરિઅન્ટ BA.4 ના ત્રણ અને ઓમિક્રોન  વેરિઅન્ટ BA.5 નો  એક કેસ નોંધવામાં આવ્યો છે અને આ તમામ દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થઈ ગયા છે. BA.4 અને BA.5 એ કોરોના વાયરસના અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના  પેટા પ્રકારો છે. ઓમિક્રોન દેશમાં વૈશ્વિક રોગચાળાની ત્રીજી લહેરનું કારણ બન્યું હતું.

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલની લેબોરેટરીના રિપોર્ટમાં મહાનગરમાં ત્રણ દર્દીઓમાં BA.4 પેટા પ્રકાર અને એક દર્દીમાં BA.5 હોવાની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું કે આ ચાર દર્દીઓમાંથી બે છોકરીઓ અને બે પુરૂષો છે. છોકરીઓની ઉંમર 11 વર્ષ અને પુરુષોની ઉંમર 40 થી 60 વર્ષની વચ્ચે છે. વિભાગે જણાવ્યું હતું કે, "તમામ દર્દીઓએ હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કર્યો છે અને રોગમાંથી સ્વસ્થ થઈ ગયા છે."

મહારાષ્ટ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા હવે 17,480 છે, જેમાંથી મુંબઈમાં સૌથી વધુ 11,331 દર્દીઓ છે અને થાણે જિલ્લામાં 3,233 દર્દીઓ છે. બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 774 લોકોના સંક્રમણમાંથી સાજા થયા બાદ સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 77,47,111 થઈ ગઈ છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.91 ટકા અને મૃત્યુ દર 1.86 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાયગઢ જિલ્લામાં ચેપને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
Surat News: સુરતમાં કારખાનામાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોના મોત, 11નું રેસ્ક્યુ
Surat News: સુરતમાં કારખાનામાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોના મોત, 11નું રેસ્ક્યુ
સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!
સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget