શોધખોળ કરો

Surat : વધતા કોરોના કેસો વચ્ચે સ્કૂલો શરૂ, આરોગ્ય વિભાગની ચિંતા વધી

વધતા કોરોના કેસો વચ્ચે શાળાઓ શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. 12 થી 14 વર્ષના ૪૦ હજાર બાળકોએ વેક્સિનનો હજુ બીજો ડોઝ લીધો નથી.

સુરતઃ વધતા કોરોના કેસો વચ્ચે શાળાઓ શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. 12 થી 14 વર્ષના ૪૦ હજાર બાળકોએ વેક્સિનનો હજુ બીજો ડોઝ લીધો નથી.  મનપા દ્વારા શહેરના દરેક ઝોનમાં રેન્ડમલી શાળાઓમાં રસીકરણ અને ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ થશે. બીમાર બાળકોને શાળાએ ન મોકલવા વાલીઓને તંત્રની અપીલ. 12 થી 14 વર્ષના બાળકો ને સંપૂર્ણ વેક્સીનેટેડ કરવા પર મનપાનો ભાર.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 111 કેસ નોંધાયા છે. આ સાથે જ  57 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,14,586 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.04 ટકાએ પહોંચી ચુક્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે રાજ્યમાં આજે કુલ 28,679 રસીના ડોઝ અપાયા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 832 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 832 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,586 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી  10,945 નાગરિકોનાં મોત થયા છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.  

અમદાવાદ કોર્પોરેશનમાં 57, વડોદરા કોર્પોરેશન 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 6, ગાંધીનગર 5, રાજકોટ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશન 4, ભાવનગર કોર્પોરેશન 2,  રાજકોટમાં 2, સુરતમાં 2 કેસ નોંધાયા હતા. 

મહારાષ્ટ્રમાં કોરોનાના 1885 નવા કેસ

મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-19ના 1,885 નવા કેસ નોંધાયા બાદ, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 79,12,462 થઈ ગઈ છે. વધુ એક દર્દીના મોત બાદ કુલ મૃત્યુઆંક વધીને 1,47,871 થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. મહારાષ્ટ્રમાં, સોમવારે દૈનિક કેસોની સંખ્યામાં રવિવારની સરખામણીમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રવિવારે રાજ્યમાં 2,946 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા અને બે લોકોના મોત થયા હતા.

મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના ઓમિક્રોન વેરિઅન્ટ BA.4 ના ત્રણ અને ઓમિક્રોન  વેરિઅન્ટ BA.5 નો  એક કેસ નોંધવામાં આવ્યો છે અને આ તમામ દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થઈ ગયા છે. BA.4 અને BA.5 એ કોરોના વાયરસના અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના  પેટા પ્રકારો છે. ઓમિક્રોન દેશમાં વૈશ્વિક રોગચાળાની ત્રીજી લહેરનું કારણ બન્યું હતું.

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલની લેબોરેટરીના રિપોર્ટમાં મહાનગરમાં ત્રણ દર્દીઓમાં BA.4 પેટા પ્રકાર અને એક દર્દીમાં BA.5 હોવાની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું કે આ ચાર દર્દીઓમાંથી બે છોકરીઓ અને બે પુરૂષો છે. છોકરીઓની ઉંમર 11 વર્ષ અને પુરુષોની ઉંમર 40 થી 60 વર્ષની વચ્ચે છે. વિભાગે જણાવ્યું હતું કે, "તમામ દર્દીઓએ હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કર્યો છે અને રોગમાંથી સ્વસ્થ થઈ ગયા છે."

મહારાષ્ટ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા હવે 17,480 છે, જેમાંથી મુંબઈમાં સૌથી વધુ 11,331 દર્દીઓ છે અને થાણે જિલ્લામાં 3,233 દર્દીઓ છે. બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 774 લોકોના સંક્રમણમાંથી સાજા થયા બાદ સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 77,47,111 થઈ ગઈ છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.91 ટકા અને મૃત્યુ દર 1.86 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાયગઢ જિલ્લામાં ચેપને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget