શોધખોળ કરો
25 દિવસ બાદ ગુજરાતના આ શહેરમાં આજથી ST સેવા ફરી શરૂ કરાઈ, ગાઈડલાઈન સાથે તમામ રૂટ પર દોડશે બસ
કોરોનાના વધતા કેસોને લઈ બંધ કરવામાં આવેલી એસટી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે. હવે સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સ્થિર થઈ રહી હોવાથી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આજથી તમામ રૂટ ઉપર બસ દોડશે

સુરત: સુરતમાં કોરોનાના વધતા કેસોને લઈ બંધ કરવામાં આવેલી એસટી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે. હવે સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સ્થિર થઈ રહી હોવાથી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આજથી તમામ રૂટ ઉપર બસ દોડશે. સુરતના તમામ રૂટ પર આજથી STની બસ દોડશે. આ માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાશે. ST બસમાં સોશિયલ ડિસ્ટંસનું પાલન કરાશે. આ સાથે જ બસને સેનેટાઈઝ પણ કરાશે. જેથી મુસાફરોમાં સંક્રમણ ન ફેલાય. સુરતમાં કોરોનાએ તરખાટ મચાવતા 27 જુલાઈથી સુરત આવતી-જતી તમામ બસોનું સંચાલન બંધ કરી દેવાયું હતું. પરંતુ હવે સુરતમાં કોરોનાના દૈનિક કેસો 250ની આસપાસ સ્થિર થઈ રહ્યા હોવાથી ગાઈડલાઈનના પાલન સાથે આજથી બસો શરૂ કરવામાં આવી છે. આ પહેલા 11 જુલાઈએ સુરતથી અમદાવાદ અને અમદાવાદથી સુરત આવતી તમામ એસટી બસો બંધ કરી દેવાઈ હતી. જોકે બાદમાં 27 જુલાઈથી આ સેવા 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 14 ઓગસ્ટે વધુ 7 દિવસ પ્રતિબંધ લંબાવ્યો હતો. જે 20 ઓગસ્ટે પૂર્ણ થયો છે. આમ 25 દિવસ બાદ 21 ઓગસ્ટથી ફરી સુરતમાં એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવી છે.
Before You Go
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?





















