શોધખોળ કરો

સૌરાષ્ટ્રથી સુરત જાવ છો ? પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર...........

સુરત શહેરના પ્રવેશ દ્વાર પર ફરજિયાત કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. શહેરના કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. બહારથી આવતાં લોકોમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત :  કોરોનાની ચેન તોડવા સુરત મનપા દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી પરત સુરત આવતા લોકોને તાવ, શરદી, ખાસી હશે તો સુરત શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સૌરાષ્ટ્રથી આવતા લોકોને થોડા પણ કોરોનાના લક્ષણ હશે તેમને શહેરની અંદર નહીં આવવા દેવામાં આવે. સુરત શહેરના પ્રવેશ દ્વાર પર ફરજિયાત કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

મોટી સંખ્યામાં સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. શહેરના કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. બહારથી આવતાં લોકોમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ હાલત અમદાવાદ અને સુરતની છે. અમદાવાદમાં કોરોનાની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે, જ્યારે સુરતમાં પણ કેસની સંખ્યા એક લાખને પાર થઈ છે. રાજ્યના બે મોટા શહેરોમાં કોરોનાના કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. સુરતમાં શનિવારે કોરોનાના (Surat Coronavirus Cases) 2726 નવા કેસ નોંધાયા હતા. જે પૈકી સિટીમાં 2361 કેસ નોંધાવાની સાથે કુલ આંક 80,088 પર પહોંચ્યો છે. જ્યારે ડિસ્ટ્રીક્ટમાં વધુ 365 કેસ સાથે આંક 22,438  પર પહોંચ્યો છે. આમ કુલ પોઝિટિવ કેસનો આંકડો 1,02,526 થયો છે. અત્યાર સુધીમાં સુરત સિટીમાં 1295 અને ડિસ્ટ્રિક્ટમાં 323 મળી કુલ1618 લોકોને કોરોના ભરખી ગયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 21,336 છે અને કુલ 79,572 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા હતા.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે.  આમ રાજ્યમાં દર કલાકે 587 કેસ નોંધાયા અને 6થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. રાજ્યમાં શનિવારે 6479 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો (Active Cases) આંકડો 107594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 107198 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.38 ટકા છે.

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget