શોધખોળ કરો

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ જાગ્યું સુરત મનપા પ્રશાસન, 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા આદેશ

સુરત મનપાએ એરપોર્ટને નડતરરૂપ 27 પૈકીની 5 ઈમારતનો રિ-સર્વે શરૂ કર્યો હતો. પાલના કાસા રિવેરા, વેસુના KPM ટેરા પ્રોજેકટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત મનપા પ્રશાસન જાગ્યું હતું. સુરત મનપાએ એરપોર્ટને નડતરરૂપ 27 પૈકીની 5 ઈમારતનો રિ-સર્વે શરૂ કર્યો હતો. પાલના કાસા રિવેરા, વેસુના KPM ટેરા પ્રોજેકટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સેલેસ્ટિયલ ડ્રીમ્સ પ્રોજેકટનો પણ મનપાએ રિસર્વે કર્યો હતો. કાસા રિવેરાના 36 ફ્લેટ ખાલી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. કાસા રિવેરામાં મનપાએ નોટિસ આપી હતી. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણીનું કનેકશન કાપી નાખવામાં આવશે.

કાસા રિવેરામાં રહેતા બિલ્ડર રામદે ભાદરકાએ દાવો કર્યો હતો કે એરપોર્ટની NOC બાદ કાસા રિવેરાનું બાંધકામ કરાયું છે. હવે રિ- સર્વેના નામે હેરાન કરાતા હોવાનો બિલ્ડરે આરોપ લગાવ્યો હતો. ત્રણેય મિલકતોના અઢીથી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવાના આદેશ અપાયા હતા. આ ત્રણ ઈમારતોને બિલ્ડીંગ યુઝ પરમિશન મળી નથી.

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ પ્રશાસન હવે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. ટેક ઓફ, લેન્ડિંગ સમયે જોખમી ઈમારતોનો રિ-સર્વે શરૂ કરાયો હતો. કાસા રિવેરા, KPM ટેરા, સેલેસ્ટિયલ ડ્રીમ્સને બીયુ અપાઇ નથી. કાસા રિવેરાના 36 ફ્લેટ, કેપીએમ ટેરાના 74 ફ્લેટ, સેલેસ્ટીયલ ડ્રીમ્સના 41 ફ્લેટ ખાલી કરવાનો આદેશ અપાયો છે. 27 પૈકીની 5 નડતરરૂપ ઈમારતોનો રિ સર્વે શરૂ કરાયો હતો. મનપાની નોટિસના પગલે બિલ્ડરો બચાવમાં ઉતર્યા હતા. એરપોર્ટની NOC બાદ ગગનચુંબી ઈમારતનું બાંધકામ કર્યાનો દાવો બિલ્ડરો કરી રહ્યા છે.  

અમદાવાદમાં પણ ઈમારતોના સર્વે શરૂ 

સુરત બાદ અમદાવાદ કલેકટર દ્વારા એરપોર્ટ આસપાસ આવેલ ઈમારતનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. આગામી ત્રણથી ચાર દિવસમાં કલેકટર દ્વારા કમિટીની રચના કરવામાં આવશે. એરપોર્ટ આસપાસના ચારથી પાંચ કિલોમીટર વિસ્તારની ઇમારતોનો સર્વે કરવા કમિટી બનાવવામાં આવશે. AMC ના ઉત્તર ઝોનના dymc તેમજ અન્ય અધિકારીઓને પણ કમિટીમાં સામેલ કરાશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલ મંજૂરીની ચકાસણી કર્યા બાદ ઇમારતો મામલે નિર્ણય કરાશે.

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમોનો હેતુ એરપોર્ટ નજીક ગેરકાયદેસર ઇમારતો અને વૃક્ષો પર નિયંત્રણ કડક બનાવવાનો છે અને જો કોઈ ગેરકાયદેસર ઇમારતો બનાવવામાં આવી હોય તો તેને તોડી પણ શકાય છે. ઉપરાંત, જો બાંધકામ નિર્ધારિત ઊંચાઈ સુધી ન કરવામાં આવે તો કાર્યવાહી કરી શકાય છે.

211 મૃતકોના ડીએનએ મેચ થયા

નોંધનીય છે કે અત્યાર સુધીમાં અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ રાહત અને મૃતદેહોની ઓળખનું કાર્ય ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 241 લોકોમાંથી અત્યાર સુધીમાં 211 મૃતકોના ડીએનએ તેમના પરિવારજનો સાથે મેચ કરવામાં આવ્યા છે. આમાંથી 189 મૃતદેહો તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા છે, જ્યારે 22 મૃતદેહો ટૂંક સમયમાં સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
Embed widget