શોધખોળ કરો

સુરતઃ માતા-બહેનની હત્યા કરનારી ડોક્ટર યુવતીએ પોતાના પિતા વિશે શું કરી ચોંકાવનારી વાતો ?

ડો. દર્શનાએ આ નિવેદનમાં દાવો કર્યો કે,  તેના પિતા પરિવારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી શક્યા હોત , પરંતુ તેમણે એવું કર્યું નહીં અને જવાબદારી ના નિભાવી તેથી પોતે જીવવા નથી માગતી.

સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં માતા અને બહેનની હત્યાની આરોપી ડો. દર્શના પ્રજાપતિએ પોતાની સમસ્યાઓ માટે પિતા પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ડો. દર્શના પ્રજાપતિએ પોતે શા માટે આત્મહત્યા કરવા માગે છે એ બાબતે પોલીસને નિવેદન આપ્યું હતું. ડો. દર્શનાએ આ નિવેદનમાં દાવો કર્યો કે,  તેના પિતા પરિવારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી શક્યા હોત , પરંતુ તેમણે એવું કર્યું નહીં અને જવાબદારી ના નિભાવી તેથી પોતે જીવવા નથી માગતી. ડો. દર્શના હાલમાં આર્થિક સંકડામણમાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

કતારગામમાં ચીકુવાડી ચાર રસ્તા પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતી દર્શના કાંતિલાલ પ્રજાપતિએ તેની માતા મંજુલાબેન અને નાની બહેન ફાલ્ગુનીને ઇન્જેક્શન આપી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ ડો. દર્શના પ્રજાપતિએ પોતે પણ ઉંઘની વધુ પડતી ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જો કે તેના ભાઈએ તેના પેટમાંથી ગોળીઓ કઢાવીને સમયસર સારવાર અપાવતાં તે બચી ગઈ હતી.

ચોકબજાર પોલીસે તેની વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરીને મંગળવારે દર્શનાની ધરપકડ કરી છે. દર્શનાએ પોલીસને જણાવ્યું હતું કે તે ઘણા સમયથી ડિપ્રેશનમાં છે. તેના પિતાએ પરિવારની જવાબદારી નિભાવી ન હતી અને  એક પિતા તરીકે પણ તેમણે સામાજિક-આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી ન હતી તેથી પોતે હતાશામાં સરી ગઈ હતી.

પોલીસે જણાવ્યું કે, ડો. દર્શના છેલ્લા બે દિવસથી સતત રડ્યા કરે છે. દર્શના કહે છે કે તેની માતા અને બહેન તેની વગર જીવી શકે એમ ન હોવાથી તેમની હત્યા કરી હતી. હવે પોતે માતા અને બહેન વગર કેવી રીતે જીવી શકશે? માતા અને બહેન વગરનું જીવન વ્યર્થ છે તેથી પોતે આપઘાત કરી લેશે એવું તેનું કહેવું છે.  મંગળવારે ચોકબજાર પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
સુરતીઓ સાવધાન! પ્રખ્યાત હોટલ અને ડેરીઓમાં પનીર-ચીઝના સેમ્પલ ટેસ્ટિંગમાં થયા ફેલ!
સુરતીઓ સાવધાન! પ્રખ્યાત હોટલ અને ડેરીઓમાં પનીર-ચીઝના સેમ્પલ ટેસ્ટિંગમાં થયા ફેલ!
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Embed widget