સ્વાતિ માલીવાલ સરખું ચાલી પણ નથી શકતી ,વીડિયો જોઇને યુઝર્સ લાગાવી રહ્યાં છે અટકળો, કહ્યું કદાચ ખૂબ માર....
શું રાજ્યસભાના સાંસદ અને દિલ્હીના મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલને ખૂબ માર મારવામાં આવ્યો છે? એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ખૂબ ધીમે ધીમે ચાલતી જોવા મળી રહી છે.

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના લાંબા સમયથી અધ્યક્ષ રહી ચૂકેલા સ્વાતિ માલીવાલનો (swati maliwal) વીડિયો ચોકાવી રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ શુક્રવારે સવારે 3.35 વાગ્યે માલીવાલનો એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં તે ધીમેથી ચાલતી જોવા મળી રહી છે. આ વીડિયો માલીવાલના ઘરની બહારનો છે. વીડિયોમાં જોવા મળે છે કે તે કારમાંથી નીચે ઉતરીને ઘરના દરવાજા તરફ જાય છે. આ દરમિયાન એક વ્યક્તિ તેની સાથે હોય છે. ત્યારે મીડિયા પર્સન સ્વાતિ માલીવાલ પાસેથી કંઈક પૂછવા માંગતો હતો. તે કહે છે મને માફ કરજો મેમ, મેમ, પણ સ્વાતિ માલીવાલ દરવાજા તરફ આગળ વધે છે. આ સમય દરમિયાન, વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, માલીવાલ માંડ માડ ચાલી શકતા હતા.
લોકો જુદી જુદી અટકળો લગાવી રહ્યાં છે
માલીવાલના આ વીડિયોને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. વીડિયો હેઠળ કોમેન્ટ્સ આવી રહી છે જેમાં લોકો શંકા કરી રહ્યા છે કે સ્વાતિ વધુ પડતી મારવામાં આવી છે જેથી તે ઘાયલ થઈ હશે. આ કારણે તે બરાબર ચાલી પણ શકતી નથી. જોકે સત્ય શું છે તે સ્વાતિ જ કહી શકે છે. @crazytweeep નામના યૂઝરે લખ્યું, 'સ્વાતિ માલીવાલ બરાબર ચાલી પણ શકતી નથી. કલ્પના કરો કે નટવરલાલ (કેજરીવાલ)ની હાજરીમાં જ્યારે તેણીને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે તે કેટલી ડરી ગઈ હશે.
#WATCH | Delhi: AAP Rajya Sabha MP Swati Maliwal reaches her residence. pic.twitter.com/s2t1xlRgDV
— ANI (@ANI) May 16, 2024
#WATCH | Delhi: AAP Rajya Sabha MP Swati Maliwal reaches her residence. pic.twitter.com/s2t1xlRgDV
— ANI (@ANI) May 16, 2024
તો AAP અધિકારી આરતી સિંહનું કહેવું છે કે આ બધું ડ્રામા છે. તેણે લખ્યું, 'જ્યારે તે પોલીસ સ્ટેશન ગઈ ત્યારે આ ઈજાઓ પોલીસને દેખાઈ ન હતી. શું નાટક ચાલે છે?'
@KohliGoat લખે છે, 'તેને શીશમહેલમાં નિર્દયતાથી તેને મારવામાં આવી છે. તે બરાબર ચાલી પણ શકતી પણ નથી. શું આ કારણે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા જામીન? હવે કોણ સ્વત સંજ્ઞાન લેશે.
@utka16162એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે, તેઓ આ મામલે સ્વાતિ માલીવાલને વિશ્વાસમાં લે. તેણે લખ્યું, 'નરેન્દ્ર મોદી સાહેબ આ જુઓ અને પૂછો કે શું તે ઠીક છે. તેમને ખાતરી આપો કે તમે તેમની સાથે છો. તેઓએ તેની સામે જોરદાર લડત આપવી જોઈએ. ત્રણ-ચાર દિવસ પછી પણ તે બરાબર ચાલી શકતી નથી. કેજરીવાલ અને તેમની પત્નીએ તેમને કેટલી ખરાબ રીતે માર્યા છે તે કોઈ જાણતું નથી.
14 મેની આ ઘટના અંગે દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પહેલીવાર જાહેરમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે.ગુરુવારે, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું
સ્વાતિ માલીવાલે કહ્યુ કે, "છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હું પ્રાર્થના કરનારાઓનો આભાર માનું છું. જેમણે મારા ચારિત્ર્યની હત્યા કરવાનો પ્રયાસ કર્યો, કહ્યું કે તે અન્ય પક્ષના ઇશારે કરવામાં આવી રહ્યું છે, ભગવાન તેમનું પણ ભલુ કરે " દેશમાં મહત્વપૂર્ણ ચૂંટણી ચાલી રહ્યી છે, સ્વાતિ માલીવાલ મહત્વપૂર્ણ નથી, દેશના મુદ્દા મહત્વપૂર્ણ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
