શોધખોળ કરો

કોરોનાનો પ્રકોપ વધતા આ શહેરમાં બહારથી રિસેડેન્ટ ડોક્ટરોને બોલાવ્યા

પ્રશાસને કેસ વધતા સાવચેતીના ભાગરૂપે વધારાના ડોક્ટરની માગ કરી હતી.

વડોદરા (Vadodara) શહેરમાં કોરો (corona virus)ના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થતા ગાંધીનગર અને ભાવનગરથી રેસિડેન્ટ ડૉક્ટર બોલાવાયા છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 201 કેસ નોંધાયા છે. કોરોનાથી બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા પ્રશાસને સરકારના આરોગ્ય વિભાગ સમક્ષ મુકેલી દરખાસ્ત પ્રમાણે ગાંધીનગરથી 32 અને ભાવનગરથી 15 રેસિડંટ ડૉક્ટર મોકલાયા છે. વડોદરા પ્રશાસને કેસ વધતા સાવચેતીના ભાગરૂપે વધારાના ડોક્ટરની માગ કરી હતી.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,86,577  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ  કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44,   ભાવનગર કોર્પોરેશન-36,  વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26,  જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8  કેસ નોંધાયા હતા.

કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Mysterious Death Case: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલાયોHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરાHun To Bolish : હું તો બોલીશ : ગેંગવોરે કર્યું કાયદાનું વસ્ત્રાહરણ?Vadodara Accident: વડોદરાના પોર ગામ પાસે કાર પલટી મારતા 4 લોકોના સ્થળ પર મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
Embed widget