શોધખોળ કરો

Vadodara: વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન છૂટ્ટાહાથની મારામારી, મહિલાઓને પણ માર મારવામાં આવ્યો

વડોદરા: સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 10 દિવસના ગણેશોત્સવ બાદ આજે શ્રીજીને વિદાય આપવામાં આવી છે.  વિઘ્નહર્તા ગણેશ ભગવાનની પ્રતિમાનું વડોદરાના વિવિધ તળાવોમાં વિસર્જન થઈ રહ્યું છે.

વડોદરા: સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 10 દિવસના ગણેશોત્સવ બાદ આજે શ્રીજીને વિદાય આપવામાં આવી છે.  વિઘ્નહર્તા ગણેશ ભગવાનની પ્રતિમાનું વડોદરાના વિવિધ તળાવોમાં વિસર્જન થઈ રહ્યું છે. શહેરમાં 5 જગ્યાએ કૃત્રિમ તળાવ પણ ઉભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માણેજા વિસ્તારમાં મોડી રાત્રે મારા મારીની ઘટના બની હતી.

સામે આવેલી વિગતો અનુસાર ગણેશ વિસર્જનની સવારી દરમિયાન મામલો બીચકયોહતો. સામ સામે છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હતો. પંચશીલ વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બનતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે બાદમાં મામલો સમાધાન સુધી પહોંચ્યો હોવાની વાત સામે આવી રહી છે.


નોંધનિય છે કે, ગણેશ વિસર્જન માટે વડોદરા શહેરભરમાં 50થી વધુ ક્રેનની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના ના નારા સાથે બાપાને વિદાય આપવામાં આવી. શહેરના 1500થી વધુ ગણપતિ પંડાલંથી બાપાની વિદાય થઈ છે.

છોટાઉદેપુરના નસવાડીમાં ગણપતિ વિસર્જન સમયે ડૂબી જતાં યુવકનું મોત

છોટાઉદેપુરઃ ગતરાત્રે નસવાડીમાં ગણપતિ વિસર્જન વખતે યુવક ડૂબ્યો હતો. ધર્મેશભાઈ ભલાભાઈ ઉર્ફે ભમ્પુ (ઉ. 30)નો સવારે મૃતદેહ મળી આવ્યો છે. અશ્વિન નદીમા ગઈકાલે નવી નગરીના ગણેશ વિશર્જન વખતે ઘટના બની હતી. નસવાડી પોલીસ સ્થળ પર પોહચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત :- ભાગળ વિસ્તારમાંથી ગણપતિ બાપ્પા ની શાહી સવારી. બેન્ડ બાજા સાથે ગણપતિ ની સવારી નીકળી. યુવાનોએ ડાન્સ કરી બાપ્પાને વિદાય આપી. વહેલી સવારે ગણપતિ બાપ્પાને વિસર્જન માટે લાવનાર મંડળોને સન્માનિત કરાયા. સુરત શહેરમાં વહેલું વિસર્જન હાથ ધરવા અપીલ.

અમદાવાદઃ આજે અનંત ચતુતદર્શી છે. આજે થશે દુંદાળા દેવનું વિસર્જન છે. 09 દિવસની આરાધના બાદ દશમે દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન. ગણેશમૂર્તિના વિસર્જનને લઈને રિવરફ્રન્ટ સહિત અનેક જગ્યાએ કોર્પોરેશને બનાવ્યા વિસર્જન કુંડ. બપોરથી DJ ના તાલ સાથે અમદાવાદીઓ મોટાપાયે કરશે ગણેશ મૂર્તિઓનું વિસર્જન.

પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જતા યુવકનું મોત

પંચમહાલઃ પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, ગઈકાલે પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોધરા તાલુકાનાં અંબાલી ગામનો યુવક તળાવમાં ડૂબ્યો હતો. કલાકોની શોધખોળ બાદ તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. 40 વર્ષીય મહેન્દ્ર બારીયા નામનો યુવક તળાવમાં મૂર્તિ વિસર્જન કરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે હાલ તો તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget