શોધખોળ કરો

ગુજરાતના ક્યા શહેરમાં વેપારીઓએ દેખાવો કરીને આપી ધમકી, સરકારને જે કરવું હોય એ કરે પણ અમે 12 મેથી લોકડાઉન નહીં પાળીએ, દુકાનો ખોલીશું....

એક વેપારીએ કહ્યું હતુ કે, વેપારીઓએ અનિચ્છાએ પણ સરકારના આદેશનુ પાલન કર્યુ છે, પણ ૧૨ મે પછી સરકાર જો લોકડાઉન લંબાવશે તો પણ અમે રાવપુરા રોડ પરના વેપારીઓ દુકાનો ખોલીશું.

વડોદરાઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રાજ્ય સરકારે 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવ્યું છે. મિનિ લોકડાઉનથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં તો ઘટાડો થયો નથી પણ જેમની દુકાનો બંધ છે તેવા હજારો વેપારીઓમાં રોષ વધી રહ્યો છે. 

ગત શુક્રવારે મંગલ પાંડે રોડ પર વેપારીઓએ દેખાવો કર્યો હતા, જ્યારે ગઈ કાલે રાવપુરા રોડ પર રેડીમેડ કપડાના વેપારીઓએ પણ દેખાવો કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ કહ્યુ હતુ કે, સરકારે લાગુ કરેલા લોકડાઉનથી હજારો વેપારીઓને અન્યાય થઈ રહ્યો છે. ઉપરાંત આ પ્રકારના લોકડાઉનનો અર્થ પણ નથી. 

મિનિ લોકડાઉનમાં કારખાના ખુલ્લા છે અને પ્રોડક્શન થઈ રહ્યુ છે પણ તેને વેચવા માટેની દુકાનો સરકારે બંધ રખાવી છે. મિનિ લોકડાઉનના કારણે કોરોનાનુ સંક્રમણ પણ અટકી રહ્યું નથી. એક વેપારીએ કહ્યું હતુ કે, વેપારીઓએ અનિચ્છાએ પણ સરકારના આદેશનુ પાલન કર્યુ છે, પણ ૧૨ મે પછી સરકાર જો લોકડાઉન લંબાવશે તો પણ અમે રાવપુરા રોડ પરના વેપારીઓ દુકાનો ખોલીશું. સરકારને અને પોલીસને જે કરવુ હોય તો કરી લે.અમે તો દંડ પણ  ભરવાના નથી. કારણકે અમારી પાસે દંડ ભરવાના પણ પૈસા નથી.

અન્ય એક વેપારીએ કહ્યું હતું કે, સરકારે કાં તો લોકડાઉન કરવું હોય તો પૂરુ કરવુ જોઈએ અથવા તો લોકડાઉન ના કરવુ જોઈએ. સરકારે વેપારીઓનું વિચારવું જોઈએ. તેમને સૌથી વધારે જીએસટી અમે જ આપીએ છે તે બાબતનો પણ વિચાર કરવો જોઈએ.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. 

 

રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27   ટકા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget