શોધખોળ કરો

ગુજરાતના ક્યા શહેરમાં વેપારીઓએ દેખાવો કરીને આપી ધમકી, સરકારને જે કરવું હોય એ કરે પણ અમે 12 મેથી લોકડાઉન નહીં પાળીએ, દુકાનો ખોલીશું....

એક વેપારીએ કહ્યું હતુ કે, વેપારીઓએ અનિચ્છાએ પણ સરકારના આદેશનુ પાલન કર્યુ છે, પણ ૧૨ મે પછી સરકાર જો લોકડાઉન લંબાવશે તો પણ અમે રાવપુરા રોડ પરના વેપારીઓ દુકાનો ખોલીશું.

વડોદરાઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રાજ્ય સરકારે 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવ્યું છે. મિનિ લોકડાઉનથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં તો ઘટાડો થયો નથી પણ જેમની દુકાનો બંધ છે તેવા હજારો વેપારીઓમાં રોષ વધી રહ્યો છે. 

ગત શુક્રવારે મંગલ પાંડે રોડ પર વેપારીઓએ દેખાવો કર્યો હતા, જ્યારે ગઈ કાલે રાવપુરા રોડ પર રેડીમેડ કપડાના વેપારીઓએ પણ દેખાવો કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ કહ્યુ હતુ કે, સરકારે લાગુ કરેલા લોકડાઉનથી હજારો વેપારીઓને અન્યાય થઈ રહ્યો છે. ઉપરાંત આ પ્રકારના લોકડાઉનનો અર્થ પણ નથી. 

મિનિ લોકડાઉનમાં કારખાના ખુલ્લા છે અને પ્રોડક્શન થઈ રહ્યુ છે પણ તેને વેચવા માટેની દુકાનો સરકારે બંધ રખાવી છે. મિનિ લોકડાઉનના કારણે કોરોનાનુ સંક્રમણ પણ અટકી રહ્યું નથી. એક વેપારીએ કહ્યું હતુ કે, વેપારીઓએ અનિચ્છાએ પણ સરકારના આદેશનુ પાલન કર્યુ છે, પણ ૧૨ મે પછી સરકાર જો લોકડાઉન લંબાવશે તો પણ અમે રાવપુરા રોડ પરના વેપારીઓ દુકાનો ખોલીશું. સરકારને અને પોલીસને જે કરવુ હોય તો કરી લે.અમે તો દંડ પણ  ભરવાના નથી. કારણકે અમારી પાસે દંડ ભરવાના પણ પૈસા નથી.

અન્ય એક વેપારીએ કહ્યું હતું કે, સરકારે કાં તો લોકડાઉન કરવું હોય તો પૂરુ કરવુ જોઈએ અથવા તો લોકડાઉન ના કરવુ જોઈએ. સરકારે વેપારીઓનું વિચારવું જોઈએ. તેમને સૌથી વધારે જીએસટી અમે જ આપીએ છે તે બાબતનો પણ વિચાર કરવો જોઈએ.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. 

 

રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27   ટકા છે.  

ટોપ સ્ટોરી

સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ

વિડિઓઝ

Shravan Somvar : હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યું સોમનાથ મંદિરનું પરિસર
Banaskantha Crime : ધાનેરામાં સગર્ભાએ લગાવ્યો ચાર શખ્સો પર દુષ્કર્મનો આરોપ
Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
રાજ્યમાં ખેતી પર સંકટ, પાંચ વર્ષમાં ખેતીની જમીનમાં 2.28 લાખ હેક્ટરનો ઘટાડો 
રાજ્યમાં ખેતી પર સંકટ, પાંચ વર્ષમાં ખેતીની જમીનમાં 2.28 લાખ હેક્ટરનો ઘટાડો 
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Embed widget