શોધખોળ કરો

ગુજરાતના ક્યા શહેરમાં વેપારીઓએ દેખાવો કરીને આપી ધમકી, સરકારને જે કરવું હોય એ કરે પણ અમે 12 મેથી લોકડાઉન નહીં પાળીએ, દુકાનો ખોલીશું....

એક વેપારીએ કહ્યું હતુ કે, વેપારીઓએ અનિચ્છાએ પણ સરકારના આદેશનુ પાલન કર્યુ છે, પણ ૧૨ મે પછી સરકાર જો લોકડાઉન લંબાવશે તો પણ અમે રાવપુરા રોડ પરના વેપારીઓ દુકાનો ખોલીશું.

વડોદરાઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રાજ્ય સરકારે 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવ્યું છે. મિનિ લોકડાઉનથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં તો ઘટાડો થયો નથી પણ જેમની દુકાનો બંધ છે તેવા હજારો વેપારીઓમાં રોષ વધી રહ્યો છે. 

ગત શુક્રવારે મંગલ પાંડે રોડ પર વેપારીઓએ દેખાવો કર્યો હતા, જ્યારે ગઈ કાલે રાવપુરા રોડ પર રેડીમેડ કપડાના વેપારીઓએ પણ દેખાવો કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ કહ્યુ હતુ કે, સરકારે લાગુ કરેલા લોકડાઉનથી હજારો વેપારીઓને અન્યાય થઈ રહ્યો છે. ઉપરાંત આ પ્રકારના લોકડાઉનનો અર્થ પણ નથી. 

મિનિ લોકડાઉનમાં કારખાના ખુલ્લા છે અને પ્રોડક્શન થઈ રહ્યુ છે પણ તેને વેચવા માટેની દુકાનો સરકારે બંધ રખાવી છે. મિનિ લોકડાઉનના કારણે કોરોનાનુ સંક્રમણ પણ અટકી રહ્યું નથી. એક વેપારીએ કહ્યું હતુ કે, વેપારીઓએ અનિચ્છાએ પણ સરકારના આદેશનુ પાલન કર્યુ છે, પણ ૧૨ મે પછી સરકાર જો લોકડાઉન લંબાવશે તો પણ અમે રાવપુરા રોડ પરના વેપારીઓ દુકાનો ખોલીશું. સરકારને અને પોલીસને જે કરવુ હોય તો કરી લે.અમે તો દંડ પણ  ભરવાના નથી. કારણકે અમારી પાસે દંડ ભરવાના પણ પૈસા નથી.

અન્ય એક વેપારીએ કહ્યું હતું કે, સરકારે કાં તો લોકડાઉન કરવું હોય તો પૂરુ કરવુ જોઈએ અથવા તો લોકડાઉન ના કરવુ જોઈએ. સરકારે વેપારીઓનું વિચારવું જોઈએ. તેમને સૌથી વધારે જીએસટી અમે જ આપીએ છે તે બાબતનો પણ વિચાર કરવો જોઈએ.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. 

 

રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27   ટકા છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Schemes For Daughters: દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Embed widget