શોધખોળ કરો

Vadodara: ગુજરાતના આ મોટા શહેરના બે લોકો કેરળથી પરત ફર્યા બાદ આવ્યા કોરોનાની ઝપેટમાં, ડેલ્ટા વેરિયંટની શંકા?

વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં દાખલ બે દર્દીઓને ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાની શંકાએ બન્ને સેમ્પલ ચકાસણી માટે લેબમાં મોકલવામા આવ્યા છે.  

વડોદરા : ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ નવા કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. ૮ એપ્રિલ ૨૦૨૦ એટલે કે ૪૮૬ દિવસ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૨૦૦થી નીચે આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૧૨૦ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ કુલ ૮,૧૪,૭૪૭ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૭૫% છે. રાજ્યમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે.

 વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં દાખલ બે દર્દીઓને ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાની શંકાએ બન્ને સેમ્પલ ચકાસણી માટે લેબમાં મોકલવામા આવ્યા છે.   વૈજ્ઞાાનિકો ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે અને વડોદરામાંથી જાણે કોરોનાની વિદાય થઇ ગઇ હોય તેમ લોકો બેફિકર થઇને ફરી રહ્યા છે. દરમિયાન વડોદરામાં ડેલ્ટા વેરિઅન્ટના બે શંકાસ્પદ કેસના પગલે તંત્ર એલર્ટ થઇ ગયુ છે.

ક્યારે ગયા હતા કેરળ

એસએસજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં એક આધેડ અને એક યુવાન એમ બે દર્દીઓને પાંચ દિવસ પહેલા દાખલ કરવામા આવ્યા હતા. વડોદરામાં રહેતા આ બન્ને દર્દીઓ ૧૫ દિવસ પહેલા કેરળ ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ બન્નેને કોરોનાના લક્ષણો જણાતા પહેલા હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હતી પરંતુ કોરોના કન્ટ્રોલ નહી થતાં એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બન્ને દર્દીઓની કેરાલા ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી ડોક્ટરોને ડેલ્ટા વેરિએન્ટની શંકા છે જેના કારણે બન્ને દર્દીઓના સેમ્પલ ડેલ્ટા ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. ૧૦ દિવસ બાદ તેનો રિપોર્ટ આવવાની શક્યતા છે.

વડોદરામાં ગઈકાલે કેટલા નોંધાયા કેસ

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા જ્યારે ૩ દર્દીઓને આજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં કોરોનાના ૨૭ દર્દીઓ દાખલ છે જે પૈકી ૧૪ હોસ્પિટલમાં અને ૧૩ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. ૨૭ પૈકી ૧૧ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તો શહેરમાં શનિવારે મ્યુકોરમાઇકોસિસનો એક પણ કેસ નોંધાયો નહતો. આજે મ્યુકોરમાઇકોસિસના ૪ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો હાલમાં ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget