શોધખોળ કરો

ગુજરાતના કયા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી આવ્યા?

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરામાં કોરોનાની સ્થિતિનો રિવ્યુ કરવા પહોંચ્યા છે. કોરોનાની સ્થિતિ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર, કલેક્ટર અને આરોગ્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરશે.

વડોદરાઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે અમદાવાદ(Ahmedabad) અને સુરત(Surat) પછી વડોદરામાં કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) વડોદરામાં કોરોનાની સ્થિતિનો રિવ્યુ કરવા પહોંચ્યા છે. કોરોનાની સ્થિતિ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર, કલેક્ટર અને આરોગ્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરશે.

શહેરમાં ગઈકાલે 376 નવા કેસ આવ્યા હતા. જ્યારે 1 મોત થયું છે.  મોતનો આંક 252 પર પહોંચ્યો છે. વિપક્ષના આક્ષેપ છેલ્લા 2 દિવસમાં 45થી વધુ લોકોના કોવિડમાં મોત થયા છે. સર્કિટ હાઉસ ખાતે પોલીસ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ મોજુદ રહેશે. વિપક્ષના આક્ષેપ છે કે, છેલ્લા 2 દિવસમાં 4 થી વધુ લોકોના કોવિડમાં મોત થયા છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મુલાકાતને પગલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,  ઓ.એસ.ડી વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશ્નર પી. સ્વરૂપ, મેયર કેયુર રોકડીયા, ધારાસભ્ય મનીષાબેન વકીલ, મંત્રી યોગેશ પંટેલ સર્કિટ હાઉસ પહોંચ્યા છે.  ડીડીઓ કિરણ ઝવેરી અને સાંસદ રંજનબેન ભટ્ટ પણ સર્કિટ હાઉસ પહોંચ્યા છે. 

જરાત સરકારે બીજાં રાજ્યોમાંથી આવતા તમામ લોકોના RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે ત્યારે વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે. વડોદરામાં મુંબઇથી આવેલા 781 મુસાફરોના RT-PCR ટેસ્ટ કરાયા જ નથી. આ પ્રવાસીઓ RT-PCR ટેસ્ટ વિના વડોદરા આવી જતાં લોકોમાં મોટા પાયે કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે. હાલમાં મહારાષ્ટ્ર અને તેમાં પણ મુંબઈમાં કોરોના વિસ્ફોટ થયેલો છે ત્યારે RT-PCR ટેસ્ટ વિનાના પ્રવાસીઓને ઘૂસવા દઈને વડોદરાના લોકોને રામભરોસે છોડી દેવાય હોય એવી હાલત છે.

 

રેલવે ડી.આર.એમ દ્વારા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારીને આ પ્રવાસીઓનાં સેમ્પલ લેવા મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરાઈ છે પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. રેલવે વિભાગે RT PCR ટેસ્ટ વગર આવેલા યાત્રીઓ નું લિસ્ટ તૈયાર કર્યું છે.

 

બીજ તરફ હજુ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન પર મુસાફરોને ચેક કરવાની કોઈ વ્યવસ્થા કરાઈ નથી તેથી બેરોકટોક મુસાફરો પ્રવેશી રહ્યા છે. બહારથી આવતા પ્રવાસીઓનું ટેમ્પરેચર પણ માપવમાં નથી આવી રહ્યું અને કોર્પોરેશનની બેદરકારી શહેરીજનો માટે મુસીબત બની શકે છે.

 

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના ( Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં ગઈકાલે  2015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,92,584 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

 

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારની નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12996 પર પહોંચ્યો છે. જેમાંથી 155 લોકો વેન્ટિલેટર પર અને 12841 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.35 ટકા છે.

 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

 

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, વડોદરા કોર્પોરેશનમાં  1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ 9  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4528 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.

 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

 

અમદાવાદ કોર્પોરેશનમાં 613, સુરત કોર્પોરેશનમાં 464, વડોદરા કોર્પોરેશનમાં 292, રાજકોટ  કોર્પોરેશનમાં 179, સુરત 151, વડોદરા 71, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-33, જામનગર કોર્પોરેશન -32, મહેસાણા-31, મહીસાગર-29, ભરુચ-28, ગાંધીનગર કોર્પોરેશન-27, પાટણ-27, ખેડા-26, મોરબી-26, સાબરકાંઠા-26,ગાંધીનગર-25, પંચમહાલ-25, અમરેલી-24, જામનગર-24, કચ્છ-24, નર્મદા-22, દાહોદ-21, આણંદ-19, વલસાડ-17, સુરેન્દ્રનગર-14, અમદાવાદ-13, બનાસકાંઠા-12 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Embed widget