શોધખોળ કરો

રશિયાના હુમલામાં એક દિવસમાં 2000નાં મોત, 7 દિવસમાં 10 લાખ યુક્રેનિયનો દેશ છોડીને ભાગી ગયા, રશિયાના કેટલા સૈનિક મર્યા ?

યુક્રેનની ઈમર્જન્સી સર્વિસ દ્વારા જણાવાયું છે કે, યુક્રેનમાં પ્રત્યેક કલાકે મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ તથા સુરક્ષા દળો મોતને ભેટી રહ્યા છે.

કીવઃ રશિયા અને યુક્રેનના યુધ્ધનો અંત લાવવા માટે યુક્રેન તથા રશિયા વચ્ચે પોલેન્ડમાં થોડા કલાકોમાં જ વાતચીત શરૂ થવાની છે ત્યારે રશિયા-યુક્રેનના યુધ્ધમાં તબાહીના ભયાનક આંકડા સામે આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર ફુલિપો ગ્રાંડીએ ટ્વીટ કર્યું હતુ કે, માત્ર સાત દિવસમાં જ અમે યુક્રેનનાં 10 લાખ શરણાર્થીઓને પડોશી દેશોમાં હિજરત કરતા જોયા છે. યુક્રેનની વસતી સાડા ચાર કરોડની આસપાસ છે એ જોતાં કુલ વસતીનાં બે ટકા લોકો તો યુક્રેન છોડી ભાગી ગયાં છે.

રશિયાન લશ્કરે યુક્રેનમાં બુધવારે પરિવહન સેવાઓ, હોસ્પિટલ્સ, રહેઠાણો વગેરે પર હુમલા કરીને સેંકડો સ્ટ્રક્ચર્સનો સર્વનાશ કરી દીધો હતો. આ હુમલામાં યુક્રેનના 2,000 કરતાં વધારે નાગરિકોનાં મોત થયાં છે તેમ યુક્રેનની ઈમર્જન્સી સર્વિસ દ્વારા માહિતી આપવામાં આવી છે. યુ.એન. દ્વારા મોતનો આંકડો 136 અપાયો છે પણ વાસ્તવમાં આ આંકડો બહુ વધારે હોવાનો યુક્રેનનો દાવો છે.

યુક્રેનની ઈમર્જન્સી સર્વિસ દ્વારા જણાવાયું છે કે, યુક્રેનમાં પ્રત્યેક કલાકે મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ તથા સુરક્ષા દળો મોતને ભેટી રહ્યા છે.

બીજી બાજુ યુક્રેનના પ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે છેલ્લા છ દિવસમાં લગભગ 6000 રશિયનના યુદ્ધમાં મોત થયાં છે. રશિયાએ આ આંકડાને ખોટો ગણાવ્યો છે પણ રશિયાએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેના 498 સૈનિક માર્યા ગયા છે અને આશરે 1500 સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બંને મોરચે સતત મોતનો આંકડો વધી રહ્યો છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવ પર જોરદાર બોમ્બમારો કરી રહી છે તેથી મૃત્યુ આંક વધવાની શક્યતા છે.

આ હુમલાને પગલે  વ્હાઇટ હાઉસે રશિયા અને તેના સાથી બેલારુસ સામે વધારાના પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પ્રતિબંધોમાં રશિયન ઓઈલ રિફાઈનરીઝ અને રશિયન તથા બેલારુસના લશ્કરને સહયોગ આપતી સંસ્થાઓને નિશાન બનાવાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget