શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં નવા કોરોના સંક્રમિતો અને મોતની સંખ્યામાં થયો ઘટાડો, 24 કલાકમાં 750નાં મોત
આંકડા પ્રમાણે અમેરિકાના વૃદ્ધાશ્રમો તથા વૃદ્ધોની દેખરેખ રાખતી સંસ્થાઓમાં ઓછામાં ઓછા 25,600 વૃદ્ધ અને કર્મચારીની કોવિડ-19થી મોત થયા છે.
ન્યૂયોર્કઃ અમેરિકામાં આશરે પાંચ સપ્તાહ બાદ એક દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારા નવા મામલા અને મોતનો આંકડો ઘટ્યો છે. અમેરિકામાં 20,329 નવા કેસ સામે આવ્યા અને 750 કોરોના પીડિતોના મોત થયા હતા. જ્યારે એક દિવસ પહેલા 25,524 નવા કેસ આવ્યા હતા અને 1,422 લોકોના મોત થયા હતા. સમગ્ર વિશ્વના એક તૃતીયાંશ કોરોના દર્દી અમેરિકાના છે.
વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા સોમવારે સવારે વધીને 13 લાખ 67 હજાર 638 થઈ છે. જ્યારે 80,787 લોકોના મોત થયા છે. જોકે બે લાખ 56 હજાર લોકો સાજા થઈ ગયા છે. ન્યૂયોર્કમાં સૌથી વધારે 3,45,406 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં 26,812 લોકો માર્યા ગયા હતા. ન્યૂજર્સીમાં 1,40,008 કોરોના દર્દીમાંથી 9264 લોકોના મોત થયા છે. આ ઉપરાંત મેસાચુસેટ્સ, ઈલિનોયસ પણ સૌથી વધારે પ્રભાવિત થયા છે.
આંકડા પ્રમાણે અમેરિકાના વૃદ્ધાશ્રમો તથા વૃદ્ધોની દેખરેખ રાખતી સંસ્થાઓમાં ઓછામાં ઓછા 25,600 વૃદ્ધ અને કર્મચારીની કોવિડ-19થી મોત થયા છે. વૃદ્ધાશ્રમમાં મોતના મામલાની સંખ્યા અમેરિકામાં એક તૃતીયાંશ અને સંક્રમિત મામલાનો દર દેશના 10 ટકા જેટલો છે. રિપોરર્ટ પ્રમાણે રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ હંમેશા વડીલોના મત પર નિર્ભર રહે છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી યુવા મતદારોમાં લોકપ્રિય છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion