શોધખોળ કરો

UK PM Race: ભારતીય મૂળના ઋષિ સુનક વિરુદ્ધ બોરિસ જૉનસને ખોલ્યો મોરચો, કહ્યુ-કોઇનું પણ સમર્થન કરો, પરંતુ...

સુનક બે રાઉન્ડના વોટિંગમાં આગળ છે. ગુરુવારે બીજા રાઉન્ડના મતદાનમાં તેમને સૌથી વધુ 101 મત મળ્યા હતા

UK PM Race: ભારતીય મૂળના ઋષિ સુનકને બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. દરમિયાન, કાર્યવાહક વડાપ્રધાન બોરિસ જોનસને સુનક વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. એક રિપોર્ટ અનુસાર, બોરિસ જોનસને શુક્રવારે તેમના સાથીઓને કહ્યુ હતું કે કોઈને પણ સમર્થન આપજો, પરંતુ ઋષિ સુનકને ન આપતા." શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા જોનસને 7 જુલાઈએ વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હાલમાં તેમના સ્થાને નેતાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે.

સુનક બે રાઉન્ડના વોટિંગમાં આગળ છે. ગુરુવારે બીજા રાઉન્ડના મતદાનમાં તેમને સૌથી વધુ 101 મત મળ્યા હતા. પીએમ પદની રેસમાં તેમની સાથે વધુ ચાર ઉમેદવારો છે. બીજા રાઉન્ડના મતદાનમાં ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેનને સૌથી ઓછા 27 મત મળ્યા હતા. તે આ રેસમાંથી બહાર છે.

પેની મોરડુએન્ટને 83 વોટ, વિદેશ મંત્રી લિઝ ટ્રુસને 64, પૂર્વ મંત્રી કેમી બાડેનોકને 49 વોટ અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ટોમ ટુગેનડૈટને 32 વોટ મળ્યા હતા. પહેલા રાઉન્ડના મતદાનમાં સુનકને સૌથી વધુ 88 વોટ મળ્યા હતા. જ્યારે વાણિજ્યમંત્રી પેની મોરડુએન્ટને 67, લિઝ ટ્રુસને 50, કેમી બાડેનોકને 40, ટોમ તુગેન્દતને 37 અને સુએલા બ્રેવરમેનને 32 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો વચ્ચે આગામી પાંચ તબક્કાના મતદાન બાદ આગામી ગુરુવાર સુધી આ રેસમાં માત્ર બે નેતાઓ જ બચશે.

બોરિસ જોનસને શું કહ્યું?

'ધ ટાઈમ્સ' અખબારે અહેવાલ આપ્યો હતો કે બોરિસ પાર્ટીનું નેતૃત્વ મેળવવાની રેસ હારી ગયેલા નેતાઓને પૂર્વ નાણામંત્રી અને ચાન્સેલર સુનકને સમર્થન ન આપવા વિનંતી કરી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે  જોનસન વિદેશમંત્રી લિઝ ટ્રુસનું સમર્થન કરી રહ્યા છે. જોનસનના કેબિનેટ સાથીદારો જેકબ રીસ-મોગ અને નૈડીન ડોરીસ સિવાય અન્ય કોઇને પોતાનો ઉત્તરાધિકારી બનતો જોવા માંગતા નથી. દરમિયાન, જોનસનના એક સહાયકે એ દાવાને ફગાવી દીધો હતો કે જોનસન સુનક સિવાય અન્ય કોઇને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. જોકે તેમણે સ્વીકાર્યુ હતું કે જોનસન સુનકના વિશ્વાસઘાત કરવાથી નારાજ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget