શોધખોળ કરો

Britain King : બ્રિટનને 70 વર્ષે મળ્યા પ્રિન્સ ચાર્લ્સ IIIના રૂપમાં નવા રાજા, થયો કરોડોનો ધુમાડો

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાની 74 વર્ષની વયે તાજપોશી કરવામાં આવી હતી. લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત રાજ્યાભિષેક સમારોહમાં તેમણે રાજા તરીકે શપથ લીધા હતા.

King Charles III Coronation Ceremony : 70 વર્ષ બાદ બ્રિટનને તેનો નવો રાજા મળ્યા છે. બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાની 74 વર્ષની વયે તાજપોશી કરવામાં આવી હતી. લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત રાજ્યાભિષેક સમારોહમાં તેમણે રાજા તરીકે શપથ લીધા હતા. લંડનના ઐતિહાસિક વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત રાજ્યાભિષેક સમારોહમાં તેમણે બ્રિટનના નવા રાજા તરીકે શપથ લીધા હતા.

રાજ્યાભિષેકમાં 100 દેશોના વડાઓએ હાજરી આપી હતી. ભારતીય પક્ષ તરફથી ઉપપ્રમુખ જગદીપ ધનખરે ભાગ લીધો હતો. જણાવી દઈએ કે મહારાણી એલિઝાબેથના મૃત્યુ પછી ચાર્લ્સ રાજા બન્યા હતા.

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સની તાજપોશી કરવામાં આવતા જ તેઓ સત્તાવાર રીતે 15 દેશોના રાજા બની ગયા છે. પ્રિન્સ વિલિયમે પત્ની કેટ અને બાળકો સાથે સમારોહમાં હાજરી આપી હતી. તો પ્રિન્સ હેરીએ પણ પત્ની મેઘન માર્કલ અને તેમના બાળકો સાથે સમારોહમાં હાજરી આપી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની પત્ની સાથે ભારત તરફથી કાર્યક્રમમાં હાજરી આપી હતી. શુક્રવારે રાજ્યાભિષેક સમારોહ પહેલા તેઓ કિંગ ચાર્લ્સને પણ મળ્યા હતા.

રાણી એલિઝાબેથના મૃત્યુ પછી ચાર્લ્સ રાજા બન્યા

બ્રિટનમાં રાજાશાહી લગભગ એક હજાર વર્ષ જૂની છે અને સપ્ટેમ્બર 2022માં રાણી એલિઝાબેથ IIના મૃત્યુ બાદ તેમના પુત્ર ચાર્લ્સ રાજા બન્યા છે. લગભગ 8 મહિના બાદ હવે તેમનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ ભવ્યાતિભવ્ય સમારોહ પાછળ લગભગ એક હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા માટે લંડનમાં 29 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

રાણી એલિઝાબેથના રાજ્યાભિષેકથી આ વખતે ટૂંકો કાર્યક્રમ

રાજા ચાર્લ્સના રાજ્યાભિષેક માટે સમગ્ર લંડનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ચારે બાજુ બ્રિટિશ ધ્વજ લહેરાયા છે. બ્રિટનની રાજધાની લંડનની દરેક શેરી નવા સમ્રાટના સ્વાગત માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી. આ માટે છેલ્લા ઘણા દિવસોથી લંડનના રસ્તાઓ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. જો કે, 1953માં રાણી એલિઝાબેથ IIના રાજ્યાભિષેકની તુલનામાં સમ્રાટ ચાર્લ્સનો રાજ્યાભિષેકમો કાર્યક્રમ ટૂંકો અને ગણતરીની કલાકનો જ હતો. રાજ્યાભિષેક શોભાયાત્રા પણ પહેલા જેવી ભવ્ય નહોતી.

બ્રિટિશ સિંહાસન પર કોણે ક્યારે શાસન કર્યું?

ભારત પર 200 વર્ષ સુધી શાસન કરનાર બ્રિટનના રાજવી પરિવારનો ઈતિહાસ ઘણો જૂનો છે. જ્યારે 1600માં ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે બ્રિટનમાં રાણી એલિઝાબેથ પ્રથમનું શાસન હતું. રાણી વિક્ટોરિયા 20 જૂન 1837 થી 1901 સુધી યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની રાણી હતી. તેમના પછી બ્રિટિશ સામ્રાજ્યની લગામ તેમના પુત્ર અને અનુગામી એડવર્ડ VIIના હાથમાં આવી હતી. એડવર્ડ VII 1901થી 1910 સુધી યુનાઇટેડ કિંગડમના રાજા હતા.

સમ્રાટ એડવર્ડ VII બાદ બ્રિટિશ સત્તાની લગામ તેમના પુત્ર જ્યોર્જ પંચમ દ્વારા સંભાળવામાં આવી હતી. તેઓ 22 જૂન 1910થી તેમના મૃત્યુ સુધી એટલે કે 1936 સુધી બ્રિટનની ગાદી પર બેઠા હતા. 1911માં જ્યોર્જ પંચમ તેમની પત્ની મેરી સાથે ભારત આવ્યા હતાં. તેઓ ભારતની મુલાકાત લેનારા બ્રિટનના પહેલા રાજા અને રાણી હતા. મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા માત્ર તેમના સ્વાગત માટે બનાવવામાં આવ્યું હતું.

જ્યોર્જ V બાદ તેમના પુત્ર એડવર્ડ VIIIને શાહી પરિવારની ગાદી વારસામાં મળી, પરંતુ 1936માં અમેરિકન સમાજવાદી વાલિસ સિમ્પસન સાથે લગ્ન કરવાના નિર્ણય બાદ તેમણે 11 મહિના પછી ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 1947માં એલિઝાબેથ IIએ એડિનબર્ગના ડ્યુક ફિલિપ સાથે લગ્ન કર્યા હતાં. ડેનમાર્ક અને ગ્રીસના પ્રિન્સ પ્રિન્સ ફિલિપનો જન્મ 1921માં થયો હતો અને બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ રોયલ નેવીમાં સેવા આપી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget