શોધખોળ કરો

Imran Khan Bail: ઈમરાન ખાનને બે કેસમાં મળ્યા જામીન, આગામી 17 દિવસ ધરપકડનો ખતરો ટળ્યો

Imran Khan: ઈમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી 9 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી.

Pakistan Imran Khan: પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલત (એટીસી) એ બુધવારે (21 જૂન) ના રોજ 9 મેએ થયેલી હિંસા દરમિયાન આગચંપી સાથે જોડાયેલા બે કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડનો વોરંટ રદ્દ કરી દીધો અને તેમને સાત જુલાઇ સુધીના આગોતરા જામીન મંજૂર કર્યા છે.

ઈમરાન ખાનને બે કેસમાં મળ્યા જામીન

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાન ખાન મંગળવારે (20 જૂન) લાહોરની આતંકવાદ વિરોધી અદાલતમાં કડક સુરક્ષા વચ્ચે હાજર થયા અને તેમની સામે જારી કરાયેલ ધરપકડ વોરંટને પડકાર્યો હતો.

આગામી 17 દિવસ ધરપકડનો ખતરો ટળ્યો

આતંકવાદ વિરોધી અદાલતના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ઈમરાન ખાનના વકીલની ટૂંકી દલીલો પછી, એટીસીએ તેમને બંને કેસમાં 7 જુલાઈ સુધી આગોતરા જામીન આપ્યા છે અને તેમને PKR 100,000ની જામીન રકમ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

PML-N ઓફિસમાં આગ લગાવવાનો આરોપ

અગાઉ લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે મંગળવારે (20 જૂન) 9 મેના રમખાણો દરમિયાન તોડફોડના કેસમાં ઇમરાન ખાન સહિત અન્ય ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન પીટીઆઈ પાર્ટીના નેતાઓ માટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. એફઆઈઆરના અહેવાલ મુજબ, 9 મેના રમખાણો દરમિયાન કલમા ચોકમાં કન્ટેનર સળગાવવામાં અને મોડલ ટાઉનમાં પીએમએલ-એનની ઓફિસને આગ લગાડવામાં આરોપી સામેલ હોવાનું જણાયું હતું. આ અંગે તપાસ અધિકારી ઈન્સ્પેક્ટર મુહમ્મદ સલીમે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવાની વિનંતી કરી હતી.

9 મેના રોજ કરવામાં આવી હતી ધરપકડ 

ઈમરાન ખાન અલ કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી 9 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં લગભગ 5000 પીટીઆઈ સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય ઘણા નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ઈમરાન ખાન વિરુદ્ધ 121 કેસ નોંધાયેલા છે

અખબાર ડૉનમાં છપાયેલા સમાચાર અનુસાર, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ લાહોર પોલીસની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. સમાચાર અનુસાર ઈમરાન ખાન વિરુદ્ધ નોંધાયેલા કેસોની તપાસ કરી રહેલી સંયુક્ત ટીમે ઈસ્લામાબાદ હાઈકોર્ટને જણાવ્યું છે કે તે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના અધ્યક્ષ ખાનની ધરપકડ કરવા માંગે છે. ગયા વર્ષે એપ્રિલમાં સત્તા પરથી હટાવવામાં આવેલા ખાન પર દેશદ્રોહ, નિંદા, હિંસા અને આતંકવાદને ઉશ્કેરવા સહિતના 121 કેસ નોંધાયેલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
Embed widget