![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ukraine Russia War: UNGAમાં રશિયા વિરુદ્ધ વોટીંગમાં સામેલ ન થયું ભારત, અમેરિકાએ ભારત વિશે આપ્યું મોટું નિવેદન
ભારતે કહ્યું- અમે આંતરરાષ્ટ્રીય સમુદાયના યુદ્ધવિરામના આહ્વાનને સમર્થન આપીએ છીએ. અમે યુક્રેનની બગડતી પરિસ્થિતિને લઈને ચિંતિત છીએ, પરંતુ માત્ર વાતચીત અને કુટનીતિ દ્વારા જ આ મુદ્દાનો ઉકેલ આવશે.
![Ukraine Russia War: UNGAમાં રશિયા વિરુદ્ધ વોટીંગમાં સામેલ ન થયું ભારત, અમેરિકાએ ભારત વિશે આપ્યું મોટું નિવેદન India did not participate in UNGA voting against Russia Ukraine Russia War: UNGAમાં રશિયા વિરુદ્ધ વોટીંગમાં સામેલ ન થયું ભારત, અમેરિકાએ ભારત વિશે આપ્યું મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/03/4813a9e739ed5d2ba625fbf37d96623d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ukraine Russia War : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને, ભારતે આજે યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઈમરજન્સી વિશેષ સત્રના ઠરાવમાં મતદાન કરવાનું ટાળ્યું હતું. જો કે, ભારતે ચોક્કસપણે યુક્રેન અને રશિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધનો અંત લાવવાની હિમાયત કરી હતી. ભારતે કહ્યું છે કે મતભેદો માત્ર વાતચીત અને કૂટનીતિથી જ ઉકેલી શકાય છે. ભારતના આ નિર્ણય પર હવે અમેરિકાનું મોટું નિવેદન આવ્યું છે. અમેરિકી રાજદ્વારી ડોનાલ્ડ લુએ કહ્યું કે બિડેન પ્રશાસને ભારતને રશિયા-યુક્રેન સંકટ પર સ્પષ્ટ વલણ અપનાવવાની અપીલ કરી છે.
શું કહ્યું અમેરિકાએ ?
યુએસ સેનેટ કમિટીની સુનાવણીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુએ કહ્યું કે ભારત કોઈનો પક્ષ ન લેવાનું વલણ અપનાવી રહ્યું છે. ભારત તેની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે બે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ -
પ્રથમ- બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષના સમાધાનમાં ભારત ભાગીદારી છોડવા માંગે છે.
બીજું- 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે, તેથી ભારત યુક્રેન અને રશિયાની સરકારો સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી ભારતીયોને સુરક્ષિત કરી શકાય.
લુએ કહ્યું કે અમે ભારતને રશિયાના હુમલાઓ સામે વિપરીત અને સ્પષ્ટ વલણ અપનાવવા વિનંતી કરીએ છીએ. UNGAમાં ભારતના સ્ટેન્ડની રિપબ્લિકન અને ડેમોક્રેટ યુએસ બંને ધારાશાસ્ત્રીઓ દ્વારા ટીકા કરવામાં આવી છે.
ભારતે શું કહ્યું?
ભારતે કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદાયના યુદ્ધવિરામના આહ્વાનનું સમર્થન કરીએ છીએ. અમે યુક્રેનની બગડતી પરિસ્થિતિને લઈને ચિંતિત છીએ, પરંતુ માત્ર વાતચીત અને કુટનીતિ દ્વારા જ આ મુદ્દાનો ઉકેલ આવશે. પીએમ મોદીએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓ સાથે પણ આ અંગે વાત કરી છે.
જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 141 દેશોએ યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરતા પગલાની તરફેણમાં મતદાન કર્યું હતું અને પાંચ દેશો તેના વિરોધમાં હતા, જેમાં ભારત સહિત 35 દેશોએ ભાગ લીધો ન હતો. યુરોપના આર્થિક રીતે સમૃદ્ધ દેશોથી લઈને પેસિફિકના નાના ટાપુના દેશ સુધીના ઘણા દેશોએ યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઈમરજન્સી સત્રમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કેટલાક સમર્થકો પણ હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)