શોધખોળ કરો

India Vs Pak: ...તો ભારત પાકિસ્તાનના ગ્વાદર બંદર પર ઝીંકી શકે છે બોમ્બ

અમેરિકન રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો બંને દેશો વચ્ચે તણાવ કાશ્મીરમાં હિંસા અને ભારતમાં આતંકવાદી હુમલાઓ તરફ દોરી જશે તો બંને દેશો વચ્ચેની સ્થિતિ નિયંત્રણની બહાર જશે.

Pakistan Terrorism: આવનારા સમયમાં પાકિસ્તાનની નાપાક ગતિવિધિઓનો જવાબ  ભારત સૈન્ય કાર્યવાહીથી આપી શકે છે. અમેરિકાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાન સાથે ભારતના સંબંધોમાં તણાવ વધુ વધશે. સંરક્ષણ નિષ્ણાતોના મતે પાકિસ્તાનના આતંકવાદના જવાબમાં ભારત તેના ગ્વાદર બંદર પર બોમ્બમારો કરી શકે છે.

અમેરિકાના ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીએ તાજેતરમાં જ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અગાઉની સરકારોની સરખામણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આશંકા વધી ગઈ છે કે ચીન અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા કોઈપણ ઉશ્કેરણીજનક કૃત્યના જવાબમાં ભારત પોતાની સેનાને મેદાનમાં ઉતારી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ વાર્ષિક ખતરાનું મૂલ્યાંકન એટલે કે યુએસ સંસદમાં બાહ્ય ખતરાઓના વાર્ષિક મૂલ્યાંકન પર આધારિત છે.

ભારત પાકિસ્તાનના રાજ્ય પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ કરશે કાર્યવાહી 

અમેરિકન રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો બંને દેશો વચ્ચે તણાવ કાશ્મીરમાં હિંસા અને ભારતમાં આતંકવાદી હુમલાઓ તરફ દોરી જશે તો બંને દેશો વચ્ચેની સ્થિતિ નિયંત્રણની બહાર જશે. જ્યારે આ અહેવાલ જાહેર થયા બાદ વિદેશી બાબતોના નિષ્ણાત પ્રોફેસર મુક્તદાર ખાને એક શોમાં કહ્યું હતું કે, ભારત રાજ્ય પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ સાચે જ લશ્કરી કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકવાદની સમસ્યા ભારત માટે ગંભીર ચિંતાનો વિષય છે. જો આતંકવાદ કાબૂ બહાર રહેશે તો ભારત સૈન્ય કાર્યવાહી કરે તેવી શક્યતા ઘણી વધારે છે.

શું ગ્વાદર પોર્ટ પર પણ કાર્યવાહી થઈ શકે છે?

જો કેટલાક નિષ્ણાતોનું માનીએ તો આ વખતે મામલો ત્યાં સુધી પહોંચી શકે છે કે, પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને નિશાન બનાવી શકાય છે. જો ભારત ગ્વાદર પોર્ટમાં કંઈક કરે છે તો ચીન પણ ગુસ્સે થઈ શકે છે કારણ કે ચીન ત્યાં રોકાણ કરી રહ્યું છે. ચીને ત્યાં ઘણા પ્રોજેક્ટમાં નાણાં રોક્યા છે. ગ્વાદર પોર્ટ અરબી સમુદ્રને અડીને પાકિસ્તાનનું બેઝ છે અને માનવામાં આવે છે કે, અહીં ભારત વિરોધી ગતિવિધિઓ પણ ચાલી રહી છે.

પાકિસ્તાનની કાર્યવાહી કેવી રીતે ઘટી?

જો કે, છેલ્લા 2-3 વર્ષમાં પાકિસ્તાન તરફથી હરકતોમાં ઘણો જ ઘટાડો થયો છે. તેના પર નિષ્ણાતોનું કહેવું છે કે, હવે પાકિસ્તાન સરકાર સમજી ગઈ છે કે ભારતનો મુકાબલો કરવામાં તેનું મોટું નુકસાન છે. બીજું, તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બિનજરૂરી રીતે દારૂગોળો વેડફવા માટે તેમની પાસે પૈસા બચ્યા નથી. ત્રીજું, તેમનામાં ડર છે કે ભારતે બાલાકોટમાં જે સૈન્ય કાર્યવાહી કરી હતી ભવિષ્યમાં પણ આવુ જ કરી શકે છે.

સીમા પર હવે સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું નથી

પ્રો. ખાનના જણાવ્યા પ્રમાણે, આપણે જાણીએ છીએ કે જ્યારે આ કારગિલ યુદ્ધ શરૂ થયું ત્યારે નવાઝ શરીફને ખબર ન હતી કે મુશર્રફે યુદ્ધ શરૂ કર્યું હતું. જો કે, હવે ભારત-પાકિસ્તાન સરહદ પર યુદ્ધવિરામ..પાકિસ્તાની સેનાની એન્ટિક્સ અટકાવવી પડી. બાજવા ( પાકિસ્તાન આર્મીના ભૂતપૂર્વ વડા)એ તેમના અંતિમ દિવસોમાં એવા પ્રયાસો કર્યા કે બંને દેશો વચ્ચેનો તણાવ ઘણો ઓછો થયો. તેમણે ભૂ-રાજનીતિ, ભૂ-અર્થશાસ્ત્ર પર ભાર આપવાનું શરૂ કર્યું. સાથે જ એ મામલે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે જો પાકિસ્તાન ભારત સાથે વેપાર શરૂ કરશે તો કેવી રીતે થશે? તેના શું ફાયદા થશે. આ બદલાવનું જ ઉદાહરણ છે કે, તેઓ સરહદ પર યુદ્ધવિરામ જાળવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Truptiba Raol | રૂપાલા સાહેબનું નિવેદન કોઈ પણ રીતે માફીને યોગ્ય નથીRamjubha Jadeja | ક્ષત્રિય સમાજના યુવાનોની ગેરકાયદેસર અટકાયત થઈ રહી છેKshatriya Samaj | ભાજપ-કોંગ્રેસ બંનેએ અપમાન કર્યુંઃ આણંદ ક્ષત્રિય સમાજBardoli Kshatriya Sammelan | સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન
Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન
Embed widget