શોધખોળ કરો

Indonesia Earthquake: ઈન્ડોનેશિયામાં મૃત્યુઆંક વધીને 268 થયો, 151 લાપતા, 22 હજાર ઘરોને નુકસાન

5.6ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું. જ્યાં ભૂકંપ આવ્યો તે વિસ્તાર ગીચ વસ્તીવાળો છે.

Indonesia Earthquake: ઈન્ડોનેશિયામાં સોમવારે આવેલા ભૂકંપની દુર્ઘટનાએ ભારે તબાહી મચાવી છે. અહીં ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 268 થઈ ગઈ છે, જ્યારે 151 લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે પૃથ્વી થોડી મિનિટો સુધી ધ્રૂજતી રહી. યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ, ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર પ્રદેશમાં 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઈ સાથે કેન્દ્રિત હતો.

ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના વડાના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 268 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 151 લોકો હજુ પણ લાપતા છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં 22 હજાર મકાનોને નુકસાન થયું છે. કુદરતના આ હુમલામાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.

સિયાંજુર શહેર ભૂકંપનું કેન્દ્ર હતું

યુએસ જિયોલોજિકલ સર્વેના ડેટા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિઆનજુર શહેરમાં હતું. 5.6ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું. જ્યાં ભૂકંપ આવ્યો તે વિસ્તાર ગીચ વસ્તીવાળો છે. અહીં હંમેશા ભૂસ્ખલનની શક્યતા રહે છે. ધરતી ધ્રુજારીને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ઈમારતોના કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

સૌથી વધુ મૃત્યુ હોસ્પિટલમાં થયા છે

Cianjur ના સ્થાનિક વહીવટીતંત્રના વડાએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ એક હોસ્પિટલમાં થયા છે જ્યાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા અને તે હોસ્પિટલ ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. તેણે ઈન્ડોનેશિયાના મીડિયાને જણાવ્યું હતું કે ભૂકંપ પછી શહેરની સયાંગ હોસ્પિટલમાં વીજળી ન હતી, જેના કારણે ડૉક્ટરો પીડિતોની તાત્કાલિક સારવાર કરી શકતા ન હતા. જેમાં કેટલાક દર્દીઓ સારવારના અભાવે મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે દર્દીઓની મોટી સંખ્યાને કારણે વધુ આરોગ્ય કર્મચારીઓની તાત્કાલિક જરૂર હતી પરંતુ હવે વસ્તુઓ નિયંત્રણમાં છે.

મેક્સિકોમાં પણ ધરતી ધ્રૂજી

બીજી તરફ, મેક્સિકોના બાજા કેલિફોર્નિયાના દરિયાકાંઠે મંગળવારે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ આવતા જ ત્યાં અફડાતફડી મચી ગઈ હતી. લોકો તરત જ ઘરોમાંથી બહાર નીકળી રસ્તા પર આવી ગયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) કહે છે કે ભૂકંપ બાજા કેલિફોર્નિયામાં લાસ બ્રિસાસથી લગભગ 30 કિમી (18.6 માઇલ) પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 19 કિમી (12 માઇલ) ની ઊંડાઇએ આવ્યો હતો. અગાઉ આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget