શોધખોળ કરો

Israel Hamas War: ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત, બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી

Hamas Chief Yahya Sinwar Killing News: 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ પર હુમલાનો મુખ્ય ષડયંત્રકાર યાહ્યા સિનવારે ગાઝા યુદ્ધ કરાવ્યું, ત્યારથી તે ઇઝરાયેલની વોન્ટેડ લિસ્ટમાં સૌથી ઉપર છે.

Yahya Sinwar Killing News: ઇઝરાયેલ તેના દુશ્મનો પર કહેર બનીને તૂટી પડ્યું છે. હિઝબુલ્લાહ ચીફને ઠાર કર્યા બાદ ઇઝરાયેલે ગુરુવારે (17 ઓક્ટોબર) કહ્યું કે ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન હમાસના ત્રણ લડવૈયાઓને મારી નાખ્યા છે, જેમાં હમાસ ચીફ યાહ્યા સિનવાર પણ સામેલ હતો. આ વાતની પુષ્ટિ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરી.

સમાચાર એજન્સી ANIએ ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના હવાલાથી જણાવ્યું કે નેતન્યાહુએ તેમના સાથીઓને નિર્દેશ આપ્યા કે ઇઝરાયેલી બંધકોના પરિવારોને જણાવી દેવામાં આવે કે હમાસ ચીફ યાહ્યા સિનવાર મારી નાખવામાં આવ્યો છે.

આ પહેલા ઇઝરાયેલી સેના મારી નખાયેલા આતંકવાદીઓની ઓળખ કરી રહી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર IDFએ કહ્યું હતું, "ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન 3 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા. IDF અને ISA આ સંભાવનાની તપાસ કરી રહ્યા છે કે આતંકવાદીઓમાંથી એક યાહ્યા સિનવાર હતો. આ સમયે આતંકવાદીઓની ઓળખની પુષ્ટિ કરી શકાતી નથી. જે ઇમારતમાં આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા, ત્યાં બંધકોની હાજરીના કોઈ સંકેત મળ્યા નથી. વિસ્તારમાં કામ કરી રહેલા દળો જરૂરી સાવચેતી સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું છે."

હમાસે પુષ્ટિ નથી કરી

બીજી તરફ, હમાસ તરફથી પણ તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. સામાન્ય રીતે સુરક્ષા મુદ્દાઓ વિશે પ્રકાશિત કરતી હમાસ સાથે સંકળાયેલી વેબસાઇટ અલ મજ્દે ફિલિસ્તીનીઓને સિનવાર વિશે જૂથ પાસેથી જ માહિતીની રાહ જોવાની અપીલ કરી છે.

ઇઝરાયેલે શું કહ્યું?

ઇઝરાયેલના આર્મી રેડિયોએ કહ્યું કે આ ઘટના દક્ષિણી ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં એક જમીની અભિયાન દરમિયાન થઈ, જેમાં ઇઝરાયેલી સૈનિકોએ ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા અને તેમના મૃતદેહો પોતાની સાથે લઈ ગયા. વિઝ્યુઅલ એવિડન્સથી જણાય છે કે તેમાંથી એક વ્યક્તિ સિનવાર હતો અને DNA પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલ પાસે ઇઝરાયેલી જેલમાં વિતાવેલા સમયના સિનવારના DNA નમૂનાઓ છે.

ઇઝરાયેલના નિશાના પર યાહ્યા સિનવાર કેમ?

વાસ્તવમાં, ગયા વર્ષે 7 ઓક્ટોબરે યાહ્યા સિનવારના આદેશ પર જ હમાસના લડવૈયાઓએ ઇઝરાયેલમાં ઘૂસીને નરસંહાર મચાવ્યો હતો. કોન્સર્ટમાં ઘૂસીને છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો, નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને મહિલાઓને ઘસડીને તેમની સાથે બર્બરતા કરવામાં આવી. ઘણી છોકરીઓને તેમની સાથે લઈ ગયા. વૃદ્ધોને પણ છોડવામાં આવ્યા નહીં.

આ પણ વાંચોઃ

એન્કાઉન્ટરને લઈને પોલીસ માટે શું છે પ્રોટોકોલ? જાણો પહેલી ગોળી ક્યાં મારવી જોઈએ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget