ગાઝામાં ભોજનની રાહ જોઈને ઉભા હતા લોકો, ઈઝરાયલના હુમલામાં 67 પેલેસ્ટિનિયનોના મોત
મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તર ગાઝામાં આ ઘટનામાં ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા.

કતારમાં ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે ઇઝરાયલે (Israel) ગાઝામાં ભોજનની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર કર્યો છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રવિવારે ઇઝરાયલી ગોળીબારમાં ઉત્તર ગાઝામાં યુએન સહાય ટ્રકોની રાહ જોઈ રહેલા લગભગ 67 પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા. દરમિયાન ઇઝરાયલે વિસ્થાપિત લોકોથી ભરેલા વિસ્તારોને ખાલી કરાવવા માટે નવા આદેશો જાહેર કર્યા છે.
As malnutrition surges in war-torn Gaza, tens of thousands of children and women require urgent treatment, according to the UN, while aid enters the blockaded Palestinian territory at a trickle https://t.co/BN0tDwrijo
— AFP News Agency (@AFP) July 20, 2025
મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તર ગાઝામાં આ ઘટનામાં ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા. તાજેતરમાં સહાય શોધનારાઓમાં આ સૌથી વધુ મૃત્યુ છે, જેમાં શનિવારે 36 લોકો માર્યા ગયા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે દક્ષિણમાં અન્ય સહાય સ્થળ નજીક 6 વધુ લોકો માર્યા ગયા હતા.
Gaza's civil defence agency says Israeli forces opened fire on crowds of Palestinians trying to collect humanitarian aid on Sunday, killing 93https://t.co/Gr7spefhSL pic.twitter.com/98kACJfePL
— AFP News Agency (@AFP) July 21, 2025
ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેના સૈનિકોએ રવિવારે ઉત્તર ગાઝામાં હજારો લોકોની ભીડ પર ચેતવણી ગોળીબાર કર્યો હતો જેથી 'તાત્કાલિક ખતરો' દૂર થાય. સેનાએ વધુમાં કહ્યું હતું કે જાનહાનિની સંખ્યા અતિશયોક્તિપૂર્ણ છે અને અમે ઇરાદાપૂર્વક માનવતાવાદી સહાય ટ્રકોને નિશાન બનાવી રહ્યા નથી.
યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ જણાવ્યું હતું કે ગાઝામાં પ્રવેશ્યા પછી તરત જ 25 WFP ટ્રકોના કાફલાનો સામનો ભૂખ્યા નાગરિકોના વિશાળ ટોળા સાથે થયો હતો જેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, હમાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે વધતા મૃત્યુ અને ભૂખમરાના સંકટથી ગુસ્સે છીએ અને આ કતારમાં ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો પર ખરાબ અસર કરી શકે છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે સમગ્ર વિસ્તારમાં ઇઝરાયલી ગોળીબાર અને હવાઈ હુમલામાં કુલ 90 લોકો માર્યા ગયા હતા.
મધ્ય ગાઝા ખાલી કરવાનો આદેશ
મધ્ય ગાઝાના દીર અલ-બલામાં ઇઝરાયલી સેનાએ લોકોને સ્થળાંતર કરવા માટે પત્રિકાઓ ફેંક્યા પછી રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલી વિમાનોએ આ વિસ્તારમાં ત્રણ ઘરો પર હુમલો કર્યો હતો. ડઝનબંધ પરિવારો તેમના કેટલાક સામાન સાથે તેમના ઘર છોડવા લાગ્યા. લાખો નાગરિકોએ દીર અલ-બલા વિસ્તારમાં આશ્રય લીધો છે.
ઇઝરાયલી સૂત્રો કહે છે કે સેના હજુ સુધી ત્યાંથી ખસી નથી કારણ કે તેમને શંકા છે કે હમાસે ત્યાં બંધકો રાખ્યા છે. ગાઝામાં રાખવામાં આવેલા બાકીના 50 બંધકોમાંથી લગભગ 20 હજુ પણ જીવંત હોવાનું માનવામાં આવે છે.





















