શોધખોળ કરો

બાંગ્લાદેશે નોર્થ ઈસ્ટ રાજ્યોને બતાવ્યો પોતાનો હિસ્સો, મોહમ્મદ યુનુસે PAK જનરલને ગિફ્ટ કર્યો વિવાદીત નકશો

યુનુસે એક ખોટો નકશો રજૂ કર્યો હતો, જેમાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશને બાંગ્લાદેશનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશના વચગાળાના વડા મુહમ્મદ યુનુસ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમણે પાકિસ્તાનના એક ટોચના લશ્કરી અધિકારીને આપેલી ભેટથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વધી શકે છે. યુનુસે એક ખોટો નકશો રજૂ કર્યો હતો, જેમાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશને બાંગ્લાદેશનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા.

યુનુસે આ વિવાદીત નકશો પાકિસ્તાનના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝાને ગિફ્ટમાં આપ્યો હતો. યુનુસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરાયેલા ફોટામાં આ ભેટ જોવા મળી હતી. ભેટમાં આપવામાં આવેલી આ પુસ્તકનું ટાઈટલ “Art of Triumph: Bangladesh’s New Dawn” હતું, જે 2024ના વિદ્યાર્થી આંદોલનને સમર્પિત હોવાનું કહેવાય છે, જે તે જ આંદોલન હતું જેણે શેખ હસીના સરકારને સત્તા પરથી ઉથલાવી હતી.

'ગ્રેટર બાંગ્લાદેશ'નો ખ્યાલ શું છે?

આ નકશો 'ગ્રેટર બાંગ્લાદેશ' ની વિવાદાસ્પદ વિચારધારા સાથે જોડાયેલો છે, જેને ઢાકા સ્થિત ઇસ્લામિક સંગઠન 'સુલ્તાનત-એ-બાંગ્લા' દ્વારા પ્રમોટ કરવામાં આવ્યો છે. આ નકશામાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો જ નહીં, પણ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને મ્યાનમારના અરાકાન રાજ્યને પણ બાંગ્લાદેશનો ભાગ બતાવવામાં આવ્યું છે.

આ વિવાદીત નકશો સૌપ્રથમ એપ્રિલ 2025માં ઢાકા યુનિવર્સિટીમાં બંગાળી નવા વર્ષ 'પોઇલા વૈશાખ' નિમિત્તે આયોજિત એક પ્રદર્શનમાં સામે આવ્યો હતો. તે સમયે ભારતમાં તેની ટીકા થઈ હતી અને કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

યુનુસના ભારત વિરોધી વિચારો

યુનુસે ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્ર અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હોય તેવું આ પહેલી વાર નથી. એપ્રિલ 2025માં ચીનની તેમની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશ "પ્રદેશનો એકમાત્ર દરિયાઇ રક્ષક" છે, જ્યારે ભારતનો ઉત્તરપૂર્વીય પ્રદેશ "સંપૂર્ણપણે ભૂમિગત અને સમુદ્રથી કપાયેલો છે."

તેમના નિવેદનથી ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ભારતનો ઉત્તરપૂર્વીય પ્રદેશ "BIMSTEC દેશો માટે એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી હબ" છે અને ભારતની વ્યૂહાત્મક શક્તિનું પ્રતિક છે.

શેખ હસીના સરકારના પતન પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હતો. યુનુસની ચીન અને પાકિસ્તાન સાથે વધતી જતી નિકટતા ભારત માટે ચિંતાનું કારણ બની છે. દરમિયાન, શેખ હસીનાના ભારતમાં આશ્રયથી ઢાકાના નવા શાસકો નારાજ થયા છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Embed widget