શોધખોળ કરો

ભારતીય કફ સીરપથી નથી થયા 66 બાળકોના મોત? હવે ગામ્બિયા સરકારને લીધો યુ-ટર્ન

તાજેતરમાં ભારતમાં બનેલી કફ સિરપને કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા છે

તાજેતરમાં ભારતમાં બનેલી કફ સિરપને કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા છે. હવે ગામ્બિયા સરકારે આ મામલે યુ-ટર્ન લીધો છે. ભારતીય કફ સીરપને કારણે કિડનીને નુકસાન થવાથી લગભગ 66 બાળકોના મોત થયા હોવાની હજુ સુધી પુષ્ટી થઈ નથી. દેશની મેડિસિન કંટ્રોલ એજન્સીના પ્રતિનિધિએ રોઇટર્સને આ માહિતી આપી હતી.

ગયા મહિને જાહેર કરાયેલા એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ગામ્બિયામાં હેલ્થ ડાયરેક્ટર  મુસ્તફા બિટ્ટાયે તમામ બાળકોના મૃત્યુના કારણની પુષ્ટી કરી હતી અને કહ્યું હતું કે આ તમામ બાળકોના મોત કિડનીની ગંભીર સમસ્યાને કારણે થયા છે.

સૂત્રોનું કહેવું છે કે ભારતે તેના દેશમાં આવા સીરપને મંજૂરી આપવા માટે ધ ગામ્બિયાના સ્ક્રીનિંગ અને ઓડિટના ધોરણો પર સવાલ ઉઠાવ્યા છે. ભારત સરકારના સૂત્રોએ કહ્યું છે કે મૃત્યુ પામેલા 66 બાળકોના પીએમ રિપોર્ટ દર્શાવે છે કે તેમને ઝાડા હતા તો પછી તેમને કફ સીરપ કેમ આપવામાં આવી રહી હતી?

WHOના વડાએ કહ્યું હતું કે કફ સિરપથી મૃત્યુ થયું છે

WHOના વડા ડૉ. ટેડ્રોસે જાહેરાત કરી હતી કે ભારતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવેલ કફ સીરપને કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા છે. ડબ્લ્યુએચઓએ ગયા મહિને સોનીપતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ પ્રોમેથાઝિન ઓરલ સોલ્યુશન, કોફેક્સમાલિન બેબી કફ સીરપ, મેકોફ બેબી કફ સીરપ અને મેગ્રીપ એન કોલ્ડ સીરપના ચાર ઉત્પાદનોને "ખૂબ જ ખરાબ" તબીબી ઉત્પાદનો તરીકે જાહેર કરીને તબીબી ચેતવણી જાહેર કરી હતી.

WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસે જાહેર કર્યું હતું કે 'ડબ્લ્યુએચઓએ ધ ગામ્બિયામાં મળી આવેલી આ ચાર દૂષિત દવાઓ અંગે મેડિકલ પ્રોડક્ટ એલર્ટ જાહેર કર્યું છે, જે કિડનીની ગંભીર સમસ્યાઓ અને અહીં 66 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલ છે.'

ચેતવણી જાહેર કરતી વખતે, ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે આમાંથી ફક્ત ચાર ઉત્પાદનો ગામ્બિયામાં મળી આવ્યા છે, પરંતુ આ તમામ ઉત્પાદનો અન્ય દેશો અને પ્રદેશોમાં પણ અનૌપચારિક રીતે વેચાણ કરવામાં આવ્યા હોઇ શકે છે. આવી સ્થિતિમાં, WHOએ તમામ દેશોને સૂચન કર્યું હતું કે આ ચાર ઉત્પાદનોનું વેચાણ અટકાવવું જોઈએ જેથી કરીને લોકોનો જીવ બચાવી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Embed widget