શોધખોળ કરો

દેશના દુશ્મનનો વિદેશી ભૂમિ પર ખાતમો, વધુ એક આતંકી અકરમ ગાઝીને હુમલાખોરોએ કર્યો ઠાર

ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં માર્યો ગયો છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો છે.

ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં માર્યો ગયો છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો છે. તે  ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવા અને ઝેર ઓકવા  માટે કુખ્યાત હતો. તેણે કાશ્મીરના ઘણા કટ્ટરપંથીઓની લશ્કરમાં ભરતી કરીને તેમને આતંકવાદી બનાવ્યા હતા.

 પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ભૂતપૂર્વ કમાન્ડર અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અકરમ લશ્કરના સૌથી ભરોસાપાત્ર કમાન્ડરોમાંનો એક હતો. તે લાંબા સમયથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યો હતો.

 અકરમ ભારત વિરુદ્ધ અનેક આતંકવાદી ગતિવિધિઓમાં પણ સામેલ હતો. અકરમ ખાન 2018 થી 2020 સુધી લશ્કરમાં ભરતીનો હવાલો સંભાળતો હતો. ગુરુવારે, પાકિસ્તાનના બાજૌરમાં અકરમ ગાઝીની કથિત રીતે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

તે વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીરના સુંજવાનમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. અકરમ ગાઝીએ કાશ્મીરમાંથી ખ્વાજા શાહિદનું અપહરણ કર્યું હતું. બાદમાં તેનું કપાયેલું માથું પીઓકેમાં નિયંત્રણ રેખા પાસે મળી આવ્યું હતું. તે ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્રના મુખ્ય આર્કિટેક્ટ્સમાંનો એક હતો. અકરમ ગાઝી પોતાના ભાષણોમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતો  હતો. તે આતંકવાદીઓના સેન્ટ્રલ રિક્રુટમેન્ટ સેલનો મુખ્ય સભ્ય હતો. તેને ખૈબર પખ્તુનખ્વાના બાજૌરમાં બાઇક સવાર બદમાશોએ ગોળી મારી હતી. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં, અન્ય એક લશ્કર કમાન્ડર રિયાઝ અહેમદ પીઓકેના રાવલકોટમાં અલ કુતુસ મસ્જિદની બહાર માર્યો ગયો હતો.

 ભારતના અન્ય દુશ્મનો તાજેતરમાં માર્યા ગયા

વિદેશમાં ભારતના દુશ્મનોને સતત મારવામાં આવી રહ્યા છે. 10 ઓક્ટોબરે ફિદાયીન ટુકડીના મુખ્ય સંચાલક અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદ લતીફને પણ પાકિસ્તાનના સિયાલકોટમાં ઠાર કરવામાં આવ્યો હતો. તેણે 2016માં ભારતના પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર હતો. લગભગ એક મહિના પહેલા જ ભારતના અન્ય દુશ્મન મુફ્તી કૈસર ફારુકની પણ પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ગુલશન-એ-ઉમર મદરેસામાં તેની હત્યા કરવામાં આવી હતી. લશ્કરના મૌલાના ઝિયાઉર રહેમાનને પણ હુમલાખોરોએ કરાચીમાં ગોળી મારીને અલ્લાહ પાસે લઈ ગયા હતા. જ્યારે મે મહિનામાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા પરમજીત સિંહ પંજવારને લાહોરમાં મોર્નિંગ વોક દરમિયાન હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. તેની તેના ઘર નજીક હત્યા કરવામાં આવી હતી. જ્યારે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓ હરદીપ સિંહ નિજ્જર અને સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની પણ અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget