શોધખોળ કરો

દેશના દુશ્મનનો વિદેશી ભૂમિ પર ખાતમો, વધુ એક આતંકી અકરમ ગાઝીને હુમલાખોરોએ કર્યો ઠાર

ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં માર્યો ગયો છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો છે.

ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં માર્યો ગયો છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો છે. તે  ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવા અને ઝેર ઓકવા  માટે કુખ્યાત હતો. તેણે કાશ્મીરના ઘણા કટ્ટરપંથીઓની લશ્કરમાં ભરતી કરીને તેમને આતંકવાદી બનાવ્યા હતા.

 પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ભૂતપૂર્વ કમાન્ડર અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અકરમ લશ્કરના સૌથી ભરોસાપાત્ર કમાન્ડરોમાંનો એક હતો. તે લાંબા સમયથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યો હતો.

 અકરમ ભારત વિરુદ્ધ અનેક આતંકવાદી ગતિવિધિઓમાં પણ સામેલ હતો. અકરમ ખાન 2018 થી 2020 સુધી લશ્કરમાં ભરતીનો હવાલો સંભાળતો હતો. ગુરુવારે, પાકિસ્તાનના બાજૌરમાં અકરમ ગાઝીની કથિત રીતે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

તે વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીરના સુંજવાનમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. અકરમ ગાઝીએ કાશ્મીરમાંથી ખ્વાજા શાહિદનું અપહરણ કર્યું હતું. બાદમાં તેનું કપાયેલું માથું પીઓકેમાં નિયંત્રણ રેખા પાસે મળી આવ્યું હતું. તે ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્રના મુખ્ય આર્કિટેક્ટ્સમાંનો એક હતો. અકરમ ગાઝી પોતાના ભાષણોમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતો  હતો. તે આતંકવાદીઓના સેન્ટ્રલ રિક્રુટમેન્ટ સેલનો મુખ્ય સભ્ય હતો. તેને ખૈબર પખ્તુનખ્વાના બાજૌરમાં બાઇક સવાર બદમાશોએ ગોળી મારી હતી. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં, અન્ય એક લશ્કર કમાન્ડર રિયાઝ અહેમદ પીઓકેના રાવલકોટમાં અલ કુતુસ મસ્જિદની બહાર માર્યો ગયો હતો.

 ભારતના અન્ય દુશ્મનો તાજેતરમાં માર્યા ગયા

વિદેશમાં ભારતના દુશ્મનોને સતત મારવામાં આવી રહ્યા છે. 10 ઓક્ટોબરે ફિદાયીન ટુકડીના મુખ્ય સંચાલક અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદ લતીફને પણ પાકિસ્તાનના સિયાલકોટમાં ઠાર કરવામાં આવ્યો હતો. તેણે 2016માં ભારતના પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર હતો. લગભગ એક મહિના પહેલા જ ભારતના અન્ય દુશ્મન મુફ્તી કૈસર ફારુકની પણ પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ગુલશન-એ-ઉમર મદરેસામાં તેની હત્યા કરવામાં આવી હતી. લશ્કરના મૌલાના ઝિયાઉર રહેમાનને પણ હુમલાખોરોએ કરાચીમાં ગોળી મારીને અલ્લાહ પાસે લઈ ગયા હતા. જ્યારે મે મહિનામાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા પરમજીત સિંહ પંજવારને લાહોરમાં મોર્નિંગ વોક દરમિયાન હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. તેની તેના ઘર નજીક હત્યા કરવામાં આવી હતી. જ્યારે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓ હરદીપ સિંહ નિજ્જર અને સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની પણ અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget