શોધખોળ કરો

રમઝાન પહેલાં પાકિસ્તાનમાં રક્તરંજીત બ્લાસ્ટ: મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 5 લોકોના કમકમાટીભર્યા મોત

ખૈબર પખ્તુનખ્વાના અક્કોરા ખટ્ટકમાં તાલિબાન તરફી મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, આતંકી સંગઠનો પર શંકા, તપાસ શરૂ.

Pakistan bomb blast 2025: પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પહેલાં પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મસ્જિદમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાએ સમગ્ર પાકિસ્તાનમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ કરૂણ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અક્કોરા ખટ્ટક જિલ્લામાં સ્થિત જામિયા હક્કાનિયા સેમિનારીની મસ્જિદમાં બની હતી. જિલ્લા પોલીસ વડા અબ્દુલ રશીદે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરાવી છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ પ્રારંભિક તપાસમાં આ આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, વિસ્ફોટ જામિયા હક્કાનિયા સેમિનારીના સંકુલમાં થયો હતો, જ્યાં અંદાજે 4,000 વિદ્યાર્થીઓ રહે છે અને મફત ભોજન તેમજ શિક્ષણ મેળવે છે. કેપી આઈજી ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં આત્મઘાતી હુમલાના સંકેતો મળ્યા છે અને મૌલાના હમીદુલ હક હક્કાની હુમલાખોરોના નિશાના પર હોઈ શકે છે.

આ હુમલાની તીવ્ર નિંદા કરતા પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, "દુશ્મન દેશ પાકિસ્તાનમાં અસ્થિરતા ફેલાવવાના કાવતરાં ઘડી રહ્યો છે. અમે દુશ્મનોના દરેક નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવીશું અને મૃતકોના પરિવારોની સાથે ઉભા છીએ." તેમણે મૌલાના હમીદુલ હક હક્કાની અને અન્ય ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય માટે દુઆ પણ કરી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા કાયરતાપૂર્ણ કૃત્યો આતંકવાદ સામેની તેમની સરકારના સંકલ્પને નબળો નહીં પાડી શકે. તેમણે દેશમાંથી આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

આ પણ વાંચો....

ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget