શોધખોળ કરો

Pakistan: ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઇમરાન ખાનને આપી મોટી રાહત, લાઇવ ટેલિકાસ્ટનો પ્રતિબંધ હટાવ્યો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે ઈમરાન ખાન પર લાગેલો પ્રતિબંધ હટાવી લીધો છે

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે ઈમરાન ખાન પર લાગેલો પ્રતિબંધ હટાવી લીધો છે. આ પ્રતિબંધ પીટીઆઈ ચીફ ઈમરાન ખાનના લાઈવ ટેલિકાસ્ટને લઈને હતો, જે તેમની રેલીમાં આપેલા ભાષણ પછી પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલર ઓથોરિટી (પેમરા) દ્વારા લગાવવામાં આવ્યો હતો. તે ભાષણને લઈને ઈમરાન ખાન પર આરોપ છે કે તેમણે જાહેર સભામાંથી પોતાના નિવેદનમાં ઘણા સરકારી અધિકારીઓ અને એક મહિલા જજને ખુલ્લેઆમ ધમકી આપી હતી.

ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અતહર મિનલ્લાહે ઈમરાન ખાન દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા સ્વીકાર્યું હતું કે PEMRA એ આ મામલે પોતાના અધિકારોની બહાર જઇને કાર્યવાહી કરી છે. સાથે જ નિર્દેશ આપ્યો કે EMRA એ એક અધિકારીની નિમણૂક કરવી જોઈએ, જે કોર્ટમાં ઈમરાન ખાન પરના પ્રતિબંધને યોગ્ય ઠેરવી શકે. સાથે જ ચીફ જસ્ટિસે કહ્યું કે જે વ્યક્તિ દોષિત ઠર્યો નથી તેના પર પ્રતિબંધ લગાવી શકાય નહીં.

ઈમરાન ખાનના પક્ષને ઠપકો મળ્યો

સોમવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે મહિલા જજને ધમકી આપવા બદલ ઈમરાન ખાનને ઠપકો પણ આપ્યો હતો. ચીફ જસ્ટિસે ઈમરાન ખાનના વકીલને પૂછ્યું કે શું જજોને આ રીતે ધમકાવવામાં આવશે? જસ્ટિસ અતહરે કોર્ટમાં કહ્યું કે શું તમારા નેતાએ એવું નથી કહ્યું કે તે તેને (મહિલા જજ)ને છોડશે નહીં. જસ્ટિસ અતહરે સવાલ ઉઠાવતા કહ્યું કે મારા વિશે પણ તેમણે આવું કંઈક કહ્યું હોય તો ઠીક હતું પણ મહિલા જજ?

ઈમરાન ખાનના નજીકના સાથી શાહબાઝ ગિલ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ભારપૂર્વક કહ્યું હતું કે શાહબાઝ સાથે યાતના અસ્વીકાર્ય છે પરંતુ મહિલા ન્યાયાધીશને ડરાવવા ક્ષમાપાત્ર નથી. ચીફ જસ્ટિસે વધુમાં કહ્યું કે આ સમગ્ર મામલાએ શાહબાઝ ગિલની ન્યાયી સુનાવણીને વિવાદાસ્પદ બનાવી દીધી છે.

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાને રેલીમાં શું કહ્યું?

શનિવારે ઇસ્લામાબાદમાં એક રેલીમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને શરીફ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નજીકના સાથી શાહબાઝ ગિલની ધરપકડ અને પોલીસ રિમાન્ડમાં શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો. ઈમરાન ખાને રેલીમાં ઈસ્લામાબાદના આઈજી પોલીસ અને ડેપ્યુટી આઈજી પોલીસ સામે કેસ દાખલ કરવા માટે ધમકીભર્યા સ્વરમાં વાત કરી હતી.તે જ સમયે ઇમરાન ખાને મહિલા જજને પણ ધમકી આપી હતી. જેમણે તેમના નજીકના મિત્ર શાહબાઝને રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. ઈમરાન ખાને ન્યાયતંત્ર પર તેમની પાર્ટી સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો અને કહ્યું કે શાસક સરકાર તરફ તેનો ઝુકાવ છે. ઈમરાન ખાને મહિલા ન્યાયાધીશને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેમણે પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે.

રેલી બાદ ઈમરાન ખાન વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલર ઓથોરિટીએ તેમના ભાષણના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget