Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં ફરી થશે મતદાન, આ કારણે ઇલેકશન કમિશનને ફરી વોટિંગનો લીધો નિર્ણય
Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં એવા સ્થળો જ્યાં કેટલાક કારણોસર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી. પાકિસ્તાન ચૂંટણી પંચ ત્યાં ફરીથી મતદાન કરશે.
![Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં ફરી થશે મતદાન, આ કારણે ઇલેકશન કમિશનને ફરી વોટિંગનો લીધો નિર્ણય pakistan election 2024 election commission of pakistan to conduct re election in various polling stations on 15 feb Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં ફરી થશે મતદાન, આ કારણે ઇલેકશન કમિશનને ફરી વોટિંગનો લીધો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/11/95e59cef9c1c3e8cec80d0e8a2a631da170762150933981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં વોટિંગ દરમિયાન ઘણી જગ્યાએ હિંસક અથડામણ જોવા મળી હતી. કેટલાક લોકોએ મતદાનની સામગ્રી છીનવીને તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉમેદવારો અને મતદારો દ્વારા કરવામાં આવ્યા હતા. લોકોની આ સમસ્યાઓને ધ્યાનમાં લઈને પાકિસ્તાનના ચૂંટણી પંચે આ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે 8મી ફેબ્રુઆરીએ યોજાનાર મતદાન માટે દેશમાં હજુ મતગણતરી ચાલી રહી છે તેવા સમયે પુન: મતદાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિયો ન્યૂઝના સમાચાર મુજબ, સર્વોચ્ચ ચૂંટણી સંસ્થાએ 15 ફેબ્રુઆરીએ ઘણા મતદાન મથકો પર ફરીથી મતદાનની જાહેરાત કરી છે. જે મતદાન મથકો પર પુન: મતદાન કરવામાં આવશે તેના નામ નીચે મુજબ છે-
NA-88 ખુશાબ-II (પંજાબ)
વોટિંગ દરમિયાન અહીં ઉપદ્રવી તત્વોએ મતદાન સામગ્રી સળગાવવાનો પ્રયાસ કર્યાના સમાચાર સામે આવ્યા હતા. હવે મામલો શાંત પડતાં 26 મતદાન મથકો પર પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે.
પીએસ-18 ઘોટકી-1 (સિંધ)
8 ફેબ્રુઆરીએ અહીં વોટિંગ દરમિયાન કેટલાક લોકોએ વોટિંગ સામગ્રી છીનવી લીધી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ચૂંટણી પંચે 2 મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.
PK-90 કોહાટ-1 (ખૈબર પખ્તુનખ્વા)
ચૂંટણી દરમિયાન કેટલાક આતંકવાદીઓએ મતદાન સામગ્રીને નુકસાન પહોંચાડ્યા બાદ, ECPએ ઉપરોક્ત મતવિસ્તારના 25 મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. આ તમામ બાબતો વચ્ચે, સર્વોચ્ચ ચૂંટણી સંસ્થાએ પ્રાદેશિક ચૂંટણી કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ NA-242 કરાચી કેમારી-1 (સિંધ)માં 1 મતદાન મથક પર તોડફોડની ફરિયાદ મળ્યા બાદ 3 દિવસમાં તપાસ અહેવાલ સુપરત કરે.
ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલો
અંતિમ પરિણામોમાં વિલંબથી પાકિસ્તાનમાં દરેક લોકો નારાજ છે. ઘણા પક્ષો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે પરિણામો સમયસર નથી આવી રહ્યા. તેઓને શંકા છે કે પરિણામોમાં છેડછાડ કરવામાં આવી રહી છે.
કોણ જીતશે તે ચૂંટણી પહેલા જ નક્કી!
રિટાયર્ડ ડિફેન્સ એક્સપર્ટ કર્નલ શૈલેન્દ્રએ એક ખાનગી મીડિયામાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા નક્કી થઈ જાય છે કે કોણ જીતશે. પાકિસ્તાનમાં ત્યાંની સેના સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. મતપેટી પણ સેનાના નિયંત્રણમાં છે. આતંકવાદ પહેલેથી જ ચરમસીમાએ છે. આ આતંકવાદીઓ પણ સેનાની કઠપૂતળીઓ છે. સેના જે ઇચ્છશે તે અહીં થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)