શોધખોળ કરો

ભારતે યુએનમાં પાકિસ્તાનને લગાવી ફટકાર, કહ્યું – ‘આતંકની ફેક્ટરી બંધ કરે પાકિસ્તાન, પીઓકે તાત્કાલિક ખાલી કરો’

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પંખુડી ગેહલોતે પાકિસ્તાનને સંભળાવતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે, પાકિસ્તાનને અમારી આંતરિક બાબતોમાં બોલવાનો કોઈ અધિકાર નથી.

India Reply To Pakistan In UNGA:  પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને કાશ્મીર રાગ આલાપવાનું બંધ નથી કરતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78માં સત્રને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન અનવારુલ હક કાકરે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો. તેમણે સંયુક્ત રાષ્ટ્રને કાશ્મીર પર ઠરાવ પસાર કરવા અને ત્યાં સૈન્ય હસ્તક્ષેપની માંગણી કરી. ભારતે શનિવારે  આનો યોગ્ય જવાબ આપ્યો.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પંખુડી ગેહલોતે પાકિસ્તાનને સંભળાવતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, પાકિસ્તાનને અમારી આંતરિક બાબતોમાં બોલવાનો કોઈ અધિકાર નથી. જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને પંતુલ ગેહલોતે કહ્યું, "જ્યારે પાકિસ્તાન બીજાના આંતરિક મામલામાં ડોકિયું કરી રહ્યું છે, ત્યારે તેણે પહેલા પોતાના દેશમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનને જોવું જોઈએ અને તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ."

પાકિસ્તાનને અરીસો બતાવતા પંખુડી ગેહલોતે કહ્યું કે તમારે મુંબઈ હુમલાના આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેમના પીડિતો 15 વર્ષ પછી પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોનો ગઢ છે. તેણે પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનાવી દીધું છે.

પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘનનો સૌથી ખરાબ રેકોર્ડ છે

વિશ્વમાં સૌથી ખરાબ માનવાધિકાર ઉલ્લંઘનના પાકિસ્તાનના રેકોર્ડ વિશે વાત કરતાં ગેહલોતે કહ્યું, "વિશ્વની સૌથી મોટી લોકશાહી પર આંગળી ઉઠાવવાનો કોઈને અધિકાર નથી. પાકિસ્તાન યુએન ફોરમનો દુરુપયોગ કરવા ટેવાયેલું છે. તે ભારત વિરૂદ્ધ આ વૈશ્વિક મંચનોવારંવાર દુરુપયોગ કરે છે. ભારત પર વારંવાર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવે છે જેથી કરીને વિશ્વ પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકારના ભંગને જોઈ ન જાય. આ મામલે પાકિસ્તાનનો રેકોર્ડ ખૂબ જ નબળો છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાનનો માનવ અધિકારનો રેકોર્ડ વિશ્વમાં સૌથી ખરાબ છે. ખાસ કરીને લઘુમતી અને મહિલાઓ પર થતા અત્યાચારના મામલામાં. પાકિસ્તાને પહેલા પોતાની આંતરિક સ્થિતિ સુધારવી જોઈએ.

ખ્રિસ્તીઓ અને અહમદિયા પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

તેણે આ વર્ષે ઓગસ્ટમાં પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના જરાનવાલામાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ગેહલોતે જણાવ્યું  કે કુલ 19 ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો હતો અને 89 ખ્રિસ્તી ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયના લોકો સામે આવો જ ગુનો કરવામાં આવે છે, જેમના પૂજા સ્થાનો પાકિસ્તાનમાં તોડી પાડવામાં આવે છે. પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ, શીખ અને ખ્રિસ્તી મહિલાઓની હાલત દુનિયામાં સૌથી ખરાબ છે. ખુદ પાકિસ્તાનના માનવાધિકાર પંચના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં દર વર્ષે લઘુમતી સમુદાયની લગભગ 1000 મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી ધર્મપરિવર્તન કરીને લગ્ન કરવામાં આવે છે.

'પાકિસ્તાને ગેરકાયદેસર કબજો કર્યો છે, તાત્કાલિક ખાલી કરો'

ભારતે દક્ષિણ એશિયામાં શાંતિ માટે પાકિસ્તાનને ત્રણ સલાહ આપી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન સરહદ પારથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ તાત્કાલિક બંધ કરે. વિલંબ કર્યા વિના આતંકવાદી ઠેકાણાઓ બંધ કરો. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ (PoK) ના વિસ્તારોને તાત્કાલિક ખાલી કરો કે જેના પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ સામે માનવાધિકારનું ઉલ્લંઘન તાત્કાલિક બંધ થવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ
IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Embed widget