શોધખોળ કરો

PM Modi Sri Lanka Visit: શ્રીલંકામાં 'મિત્ર વિભૂષણ' પુરસ્કારથી સન્માનિત થયા પીએમ મોદી, કહ્યું - આ 140 કરોડ ભારતીયોનું સન્માન

PM Modi Sri Lanka Visit: પીએમ મોદી શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન 'મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આ ફક્ત મારું સન્માન નથી પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.

PM Modi Sri Lanka Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે (૪ એપ્રિલ) સાંજે ત્રણ દિવસની શ્રીલંકા મુલાકાતે કોલંબો પહોંચ્યા. જ્યાં શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથ, આરોગ્ય મંત્રી નલિન્દા જયતિસ્સા અને મત્સ્યઉદ્યોગ મંત્રી રામલિંગમ ચંદ્રશેખર સહિત પાંચ ટોચના મંત્રીઓ તેમનું ખાસ સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીનું રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું. સ્વતંત્રતા ચોક ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. શ્રીલંકાની આ તેમની ચોથી મુલાકાત હતી. આ વખતે પીએમ મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રીલંકા સરકાર દ્વારા આપવામાં આવતો આ સર્વોચ્ચ નાગરિક સન્માન છે જે શ્રીલંકા સાથે ખાસ મિત્રતા જાળવી રાખનારા વિદેશી મહાનુભાવોને આપવામાં આવે છે.

શ્રીલંકા સરકારના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરવા પર, પીએમ મોદીએ કહ્યું કે આ સન્માન 140 કરોડ ભારતીયોનું છે. તે શ્રીલંકા અને ભારત વચ્ચેની ઊંડી મિત્રતા અને સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ સન્માન પુષ્ટિ આપે છે કે ભારત ફક્ત પાડોશી જ નહીં પણ "સાચો મિત્ર" છે.

આર્થિક અને વિકાસ સહયોગ: રૂ. 10, 0000 કરોડના પ્રોજેક્ટ્સ

ભારત અને શ્રીલંકા વચ્ચે માત્ર રાજદ્વારી સંબંધો જ નથી, પરંતુ જમીની સ્તરે વિકાસ પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં ઘણા મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત શ્રીલંકાના ખેડૂતોને સીધો ટેકો આપશે. તેમણે ભારતીય મૂળના તમિલ (IOT) સમુદાય માટે 10,000 કરોડ રૂપિયાની આવાસ અને સામાજિક યોજનાઓની જાહેરાત કરી. આ ઉપરાંત, તેમણે શ્રીલંકા સરકાર સાથે નવા કરાર કર્યા, જેમાં માળખાગત સુવિધા, ડિજિટલ કનેક્ટિવિટી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

મહત્વાકાંક્ષી કરાર પર હસ્તાક્ષર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે શનિવારે (5 એપ્રિલ) પ્રથમ વખત એક મહત્વાકાંક્ષી સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા. બંને પક્ષોએ ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસાવવા માટે એક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા. શ્રીલંકાના પૂર્વીય પ્રદેશને નવી દિલ્હીની બહુ-ક્ષેત્રીય ગ્રાન્ટ સહાયનો વિસ્તાર કરવા માટે અન્ય એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.  પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે ડિજિટલ માધ્યમથી સંપુર સૌર ઉર્જા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું.

ભારતે શ્રીલંકાને મદદ કરી

પ્રધાનમંત્રીની શ્રીલંકાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ ટાપુ દેશ આર્થિક સંકટમાંથી બહાર આવવાના સંકેતો બતાવી રહ્યો છે. ત્રણ વર્ષ પહેલાં, શ્રીલંકા એક મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું અને ભારતે તેને 4.5 અબજ યુએસ ડોલરની નાણાકીય સહાય આપી હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે 6 એપ્રિલે ઐતિહાસિક શહેર અનુરાધાપુરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરશે. બંને નેતાઓ અનુરાધાપુરામાં ભારતની મદદથી બનેલા બે પ્રોજેક્ટ્સનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Embed widget