શોધખોળ કરો

Russia-Ukraine War: યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા ઓપરેશન ચલાવશે ભારત સરકાર

યુક્રેનના યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવશે. ભારતીય નાગરિકો યુક્રેનના પડોશી દેશોમાં જમીન માર્ગે પહોંચશે ત્યાર બાદ વિશેષ ફ્લાઈટ ચલાવવામાં આવશે.

Russia-Ukraine War: યુક્રેનના યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવશે. ભારતીય નાગરિકો યુક્રેનના પડોશી દેશોમાં જમીન માર્ગે પહોંચશે ત્યાર બાદ વિશેષ ફ્લાઈટ ચલાવવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં CCSની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય મુજબ તમામ ભારતીયોને પરત લાવવાની ફ્લાઇટનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. 

વિદ્યાર્થીઓને વતનમાં લાવવાનું આ છે આયોજનઃ

આ પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે, યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવાની યોજના તૈયાર છે. તેમણે યોજના વિશે જણાવતાં કહ્યું કે, જે લોકો રોડ દ્વારા યુક્રેનથી પોલેન્ડ જવા માંગે છે, તો તે 9 કલાકનો રૂટ છે અને વિયેના જવા માટે 12 કલાકનો રૂટ છે, તે રૂટને પણ મેપ કરી દેવામાં આવ્યો છે. લ્વિવ, ચેર્નિવત્સી જેવા માર્ગમાં આવતા સ્થળો પર અમે અમારી ટીમો પણ મોકલી છે જેથી ત્યાંથી નાગરિકોને જે પણ મદદ આપી શકતા હોઈએ તે આપી શકીએ.

યુક્રેનને અડીને આવેલા 4 દેશોમાં પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત ભારતમાં લાવવામાં આવશે. આ 4 દેશો હંગેરી, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક અને પોલેન્ડ છે. ભારતીય દૂતાવાસે આ દેશોની સરહદ પર કેમ્પ લગાવ્યા છે. આ કેમ્પમાં ભારતીય વિદ્યાર્થીઓએ જેમની સાથે સંપર્ક કરવાનો છે તેમના નામ અને નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ જમીન માર્ગે આ દેશોમાં પહોંચશે ત્યારે તેમને કતાર થઈને ભારત લાવવામાં આવશે. આ માટે દોહા સ્થિત ભારતીય દૂતાવાસે તમામ તૈયારીઓ કરી લીધી છે.

ભારતીય પરિવારોના હાલ-બેહાલઃ

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એટલે ભારતમાંથી મેડિકલનો અભ્યાસ કરવા યુક્રેન ગયેલા ભારતીય વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. જ્યારે પરિસ્થિતિ વધારે બગડવા લાગી ત્યારે વિદ્યાર્થીઓના સ્વજનોની હાલત દયનીય બની ગઈ છે અને ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ પણ હિમંત હારી રહ્યા છે. તેમના પરિવારજનોની એક જ વિનંતી છે કે ભારત સરકાર અમારા બાળકોને વતનમાં પરત લાવો.

યુક્રેનમાં લગભગ 20 હજાર વિદ્યાર્થીઓ અલગ-અલગ શહેરોમાં ફસાયા છે. આ તમામના પરિવારો પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ પણ ભારત પાછા આવવાની આશા સાથે સરકાર પાસે મદદની આજીજી કરી રહ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
lifestyle: શું સવારે ઉઠીને ચહેરા પર વાસી થૂંક લગાવવાથી ખીલ મટી જાય છે? જાણો સત્ય
lifestyle: શું સવારે ઉઠીને ચહેરા પર વાસી થૂંક લગાવવાથી ખીલ મટી જાય છે? જાણો સત્ય
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
Embed widget