શોધખોળ કરો

Russia Ukraine War: મેટ્રો સ્ટેશનમાં ફસાયા 160 ભારતીય વિદ્યાર્થી, ABP ન્યૂઝને બોલ્યા- પોલેન્ડ-હંગરી બોર્ડર પહોંચવું મુશ્કેલ, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ

રશિયાના હુમલામાં લગભગ 160 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના ખાર્કિવ મેટ્રો સ્ટેશનમાં ફસાયા છે. મેટ્રો સ્ટેશનમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ભારત સરકારને તેમને વહેલી તકે બહાર કાઢવાની અપીલ કરી છે.

રશિયાના હુમલામાં લગભગ 160 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના ખાર્કિવ મેટ્રો સ્ટેશનમાં ફસાયા છે. મેટ્રો સ્ટેશનમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ભારત સરકારને તેમને વહેલી તકે બહાર કાઢવાની અપીલ કરી છે. મેટ્રો સ્ટેશન પર ફસાયેલા વિદ્યાર્થીઓમાંથી એક અમન યાદવે એબીપી ન્યૂઝ સાથે વાત કરી. તેમણે કહ્યું કે અહીં વાતાવરણ ખૂબ જ ખરાબ છે અને બોમ્બ ધડાકા શરૂ થઈ ગયા છે.

અમન યાદવે કહ્યું, "અહીંનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે. હજુ પણ અમને બોમ્બ ધડાકાનો અવાજ સંભળાઈ રહ્યો છે. હમણાં જ આસપાસના વિસ્તારોમાં બોમ્બ ધડાકા થઈ રહ્યા છે. આજે માટે હાઈ એલર્ટ છે. અહીં 6 થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ છે.  તેમણે કહ્યું કે પોલેન્ડ અને હંગરીની સરહદ સુધી પહોંચવું અમારા માટે અસંભવ છે કારણ કે ખાર્કિવની સરહદ રશિયાથી 30 કિમી દૂર છે.

અમને જણાવ્યું કે મેટ્રો સ્ટેશન એક કિલોમીટરના અંતરે છે. તેમણે કહ્યું, "અહીં (મેટ્રો સ્ટેશનમાં) લગભગ 160 વિદ્યાર્થીઓ છે અને હોસ્ટેલમાં લગભગ 4 હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે, બાકીના પણ મેટ્રો સ્ટેશનોમાં છે, કુલ સાતથી આઠ હજાર છે જેઓ ખાર્કિવની અંદર અટવાયેલા છે. " તેણે જણાવ્યું કે તે રાજસ્થાનના શ્રી ગંગાનગરનો રહેવાસી છે.

તેણે કહ્યું, "અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. તે પહેલા અમને અહીંથી બહાર કાઢવામાં આવે. અમારી એક જ અપીલ છે કે અમને વાહનો આપવામાં આવે, જેથી અમે પોલેન્ડ અને હંગેરી બોર્ડર પર પહોંચી શકીએ." તેમણે કહ્યું કે સરકારે વાહનો પર ભારતનો ધ્વજ લગાવવાનું કહ્યું છે, પરંતુ અમારી પાસે કોઈ ધ્વજ નથી. કેવી રીતે લગાવીએ. 

રશિયા-યુક્રેનને આજે ત્રીજો દિવસ છે. યુક્રેનમાં દમ તોડતા અને દેશ છોડીના ભાગતાં લોકોની તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે.

યુક્રેનમાં ભારતીયો માટે જાહેર કરાઈ ગાઈડલાઈન

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને તેમના વાહનો પર ભારતીય ધ્વજ લગાવવા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સ્થળાંતર કામગીરી માટે જતા સમયે ભારત લખવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને કોન્ફ્લિક્ટ ઝોન માટે આ સૂચનાઓ આપવામાં આવી છે.

યૂક્રેન અને રશિયાના યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઇ આવવા રવાના થઇ ગઇ છે.

આ ફ્લાઈટ શનિવારે સવારે જ મુંબઈથી બુકારેસ્ટ શહેર પહોંચી હતી. આમાં 470 વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. આ ફ્લાઈટ રાત્રે 9 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. બીજી એક ફ્લાઇટ દિલ્હીથી હંગેરી માટે રવાના થઇ ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
UPI થી ખોટો એકાઉન્ટમાં મોકલ્યા પૈસા ? ગભરાશો નહીં! બસ 5 મિનિટમાં આ રીતે કરો રિકવરી, જાણો પ્રોસેસ
UPI થી ખોટો એકાઉન્ટમાં મોકલ્યા પૈસા ? ગભરાશો નહીં! બસ 5 મિનિટમાં આ રીતે કરો રિકવરી, જાણો પ્રોસેસ

વિડિઓઝ

Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
UPI થી ખોટો એકાઉન્ટમાં મોકલ્યા પૈસા ? ગભરાશો નહીં! બસ 5 મિનિટમાં આ રીતે કરો રિકવરી, જાણો પ્રોસેસ
UPI થી ખોટો એકાઉન્ટમાં મોકલ્યા પૈસા ? ગભરાશો નહીં! બસ 5 મિનિટમાં આ રીતે કરો રિકવરી, જાણો પ્રોસેસ
EPF માંથી પૈસા ઉપાડવા હવે એકદમ સરળ! 2026 માં આવશે નવી ઓનલાઈન પ્રોસેસ, જાણો ડિટેલ્સ 
EPF માંથી પૈસા ઉપાડવા હવે એકદમ સરળ! 2026 માં આવશે નવી ઓનલાઈન પ્રોસેસ, જાણો ડિટેલ્સ 
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં રોકાણ કરવાથી થશે 2 લાખથી વધુના લાભ, જાણો તમામ ડિટેલ્સ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં રોકાણ કરવાથી થશે 2 લાખથી વધુના લાભ, જાણો તમામ ડિટેલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Embed widget