શોધખોળ કરો

વર્લ્ડ બેન્કે આપ્યા 160 મિલિયન ડોલર, શ્રીલંકાએ કહ્યુ- આ પૈસાથી તેલ ખરીદી શકતા નથી

વડાપ્રધાન વિક્રમસિંઘે કહ્યું હતું કે તેમનો પ્રથમ ઉદ્દેશ્ય દેશને બચાવવાનો છે અને કોઈ વ્યક્તિ, કુટુંબ અથવા જૂથને નહીં.

કોલંબોઃ ભારતના પાડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશની કરન્સીની વેલ્યુમાં ધરખમ ઘટાડો થયો છે અને વિદેશી હૂંડિયામણનો ભંડાર ખાલી થઈ ગયો છે. દરમિયાન, શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે બુધવારે સંસદમાં કહ્યું કે દેશને વિશ્વ બેંક તરફથી 160 મિલિયન ડોલરની સહાય મળી છે.

તેમણે કહ્યું કે આર્થિક સંકટને કારણે દેશમાં ઈંધણ અને ગેસની અછત અને તેની સામે ચાલી રહેલા વિરોધને જોતા આ નાણાકીય સહાયનો અમુક હિસ્સો ઈંધણ ખરીદવા માટે વાપરવાની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે.

અગાઉ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીલંકામાં ફક્ત એક દિવસનું પેટ્રોલ બચ્યું છે. વડાપ્રધાન વિક્રમસિંઘે કહ્યું હતું કે તેમનો પ્રથમ ઉદ્દેશ્ય દેશને બચાવવાનો છે અને કોઈ વ્યક્તિ, કુટુંબ અથવા જૂથને નહીં.

વિશ્વ બેંક પાસેથી મળેલા નાણાંનું શું?

વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, વિશ્વ બેંક તરફથી 160 મિલિયન ડોલર  મળ્યા છે અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી પણ ભંડોળની આશા છે. તેમણે કહ્યું કે વિશ્વ બેંક પાસેથી મળેલા ભંડોળનો ઉપયોગ ઈંધણ ખરીદવા માટે થઈ શકે નહીં. વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, જો કે, અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેનો અમુક હિસ્સો ઇંધણની ખરીદી માટે વાપરી શકાય કે કેમ.

વિક્રમસિંઘેએ સોમવારે રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારત તરફથી લોન હેઠળ પેટ્રોલના વધુ બે કન્સાઇનમેન્ટ આ અઠવાડિયે અને 29 મે સુધીમાં આવવાના છે. બળતણ અને ગેસની અછતના વિરોધમાં પ્રદર્શનકારીઓએ બુધવારે અહીં ઘણા રસ્તાઓ પણ બંધ કરી દીધા હતા.વિક્રમસિંઘેએ દેશના લોકોને ચેતવણી આપી છે કે આવનારા કેટલાક મહિનામાં અમારું જીવન વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે. હું કોઈ સત્ય છુપાવવા માંગતો નથી અને જનતા સમક્ષ ખોટું બોલવા માંગતો નથી.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની સરકારને ખર્ચ ચલાવવા માટે 2.4 ટ્રિલિયન શ્રીલંકન ચલણની જરૂર છે, જ્યારે સરકારને મળનારી આવક માત્ર 1.6 ટ્રિલિયન છે. શ્રીલંકામાં કટોકટી શરૂ થઈ ત્યારથી આ પ્રથમ વખત છે જ્યારે સરકારે એ હકીકત સ્વીકારી છે કે તેના વિદેશી મુદ્રા ભંડાર ખત્મ થવાની તૈયારીમાં છે. જેના કારણે તે તેલ અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદી શકતી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget