![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાંચ વર્ષ અમેરિકાની કેદમાં રહેલ આ આતંકીને તાલિબાને સંરક્ષણ મંત્રી બનાવ્યો, નાગરિકોને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવ્યો
જાકીર 2002થી 2007 સુધી ગુઆન્ટાનામો જેલમાં કેદ હતો. રિપોર્ટ અનુસાર આ જેલ એટલી ખતરનાક હતી કે 9/11 હુમલા બાદ તેઓ અહીં કેદ હતા.
![પાંચ વર્ષ અમેરિકાની કેદમાં રહેલ આ આતંકીને તાલિબાને સંરક્ષણ મંત્રી બનાવ્યો, નાગરિકોને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવ્યો taliban has appointed former guantanamo detainee abdul qayyum zakir as acting defense minister પાંચ વર્ષ અમેરિકાની કેદમાં રહેલ આ આતંકીને તાલિબાને સંરક્ષણ મંત્રી બનાવ્યો, નાગરિકોને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/3ad24980763449b4310de6176e64df38_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કાબુલ: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે તાલિબાનોએ સરકાર ચલાવવાના પ્રયાસો તેજ કર્યા છે. આ માટે પ્રાંતોમાં રાજ્યપાલોની નિમણૂકની સાથે અલગ વિભાગો બનાવીને જવાબદારી સોંપવામાં આવી રહી છે. તાલિબાને દેશના સંરક્ષણ વિભાગની કમાન વિશ્વની સૌથી ખતરનાક જેલના કેદી અને શાંતિ મંત્રણાના વિરોધીને સોંપી છે.
તાલિબાને દેશની રાજધાનીમાં રાષ્ટ્રપતિ ભવનની જીત જેવી મોટી જવાબદારી માટે અબ્દુલ કયુમ ઝાકીર પર આધાર રાખ્યો હતો. રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાગી ગયા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરનાર પ્રથમ આતંકવાદીઓમાં અબ્દુલ કયુમ ઝાકીરનો સમાવેશ થાય છે. પુરસ્કાર તરીકે અબ્દુલ કયુમને હવે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનના નવા સંરક્ષણ મંત્રી બદુલ કય્યુમ ઝાકીર કોણ છે?
અબ્દુલ કયુમ ઝાકિર 48 વર્ષના છે. ઝાકિરનો જન્મ અફઘાનિસ્તાનના હેલમંડમાં થયો હતો. અબ્દુલ કયુમ ઝાકીરની ગણતરી ખતરનાક તાલિબની તરીકે થાય છે. આ કારણોસર વર્લ્ડ ટ્રેડ ટાવર પર હુમલા પછી અમેરિકાએ ઝાકિરની ધરપકડ કરી અને તેને ક્યુબામાં બનાવેલી સૌથી ખતરનાક જેલ ગ્વાન્ટાનામો ખાડીમાં મોકલી દીધો હતો.
ગુઆન્ટાનામોમાં વિશ્વના સૌથી મોટા આતંકીઓને કેદ રાખામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અનુસારયુ.એસ.એ તેના નેવી બેસને જ જેલમાં ફેરવી દીધી હતી. જ્યાં કેદીઓને નારંગી ડ્રેસમાં પાંજરા જેવા વાડામાં રાખવામાં આવ્યા હતા.
જાકીર 2002થી 2007 સુધી ગુઆન્ટાનામો જેલમાં કેદ હતો. રિપોર્ટ અનુસાર આ જેલ એટલી ખતરનાક હતી કે 9/11 હુમલા બાદ તેઓ અહીં કેદ હતા. 40 આતંકવાદીઓ માટે આશરે 1800 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા અને પ્રત્યેક કેદી પર સરેરાશ 73 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને સૈનિકોની સુરક્ષા પર 3900 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
અબ્દુલ કયુમને મુલ્લા ઓમરની નજીક માનવામાં આવતો હતો. અફઘાન મીડિયા અનુસાર મુલ્લા ઉમર તાલિબાન અને અફઘાન સેના વચ્ચે શાંતિ મંત્રણાનો વિરોધ કરતા હતા અને અફઘાનિસ્તાનમાં ચૂંટણી દરમિયાન હિંસાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી હતી. વળી, અબ્દુલ કયુમ ઝાકીર ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં રહેતો હોવાનો દાવો કરવામાં આવતો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)