શોધખોળ કરો
યમનમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે આ રોગ? જાણો તેના લક્ષણો અને બચવાની રીત
વિશ્વમાં કોલેરાના સૌથી વધુ કેસ યમનમાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના અહેવાલ મુજબ, આ દેશમાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં કોલેરાના 249,900 શંકાસ્પદ કેસ નોંધાયા છે

પ્રતિકાત્મક તસવીર
1/6

વિશ્વમાં કોલેરાના સૌથી વધુ કેસ યમનમાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના અહેવાલ મુજબ, આ દેશમાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં કોલેરાના 249,900 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 861 મૃત્યુનો સમાવેશ થાય છે. રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે આ કેસો વૈશ્વિક કોલેરાના કુલ કેસના 35 ટકા છે.
2/6

યમનમાં 2017 અને 2020 વચ્ચેના સૌથી મોટા પ્રકોપ સહિત ઘણા વર્ષોથી સતત કોલેરાના ચેપ જોવા મળ્યા છે. WHOના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2024માં નોંધાયેલા કેસ અને મૃત્યુની સંખ્યા 2023ના સમાન મહિનાની સરખામણીમાં 37 ટકા અને 27 ટકા વધારે છે.
3/6

યમનમાં ડબ્લ્યુએચઓના પ્રતિનિધિ અને મિશનના વડા ડૉ. આર્ટુરો પેસિગને જણાવ્યું હતું કે કોલેરા જેવા પાણીજન્ય રોગોના કારણે આરોગ્ય સિસ્ટમ પર વધારાનો બોજ આવે છે. ડબ્લ્યુએચઓ અને માનવતાવાદી કાર્યકરો ગંભીર ભંડોળની અછતને કારણે વધતી જતી જરૂરિયાતોને પહોંચવામાં સક્ષમ નથી.
4/6

સ્વચ્છ પીવાના પાણીનો અભાવ, નબળી સામુદાયિક સ્વચ્છતા પ્રથાઓ અને સમયસર સારવારની મર્યાદિત પહોંચ રોગને રોકવા અને નિયંત્રણ કરવાના પ્રયત્નોને વધુ અવરોધે છે.
5/6

આ રોગના લક્ષણો છે ઝાડા, ઉબકા અને ઉલટી, ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન. ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન સ્નાયુ ખેંચાણ સહિતના ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે.
6/6

કોલેરા Vibrio cholerae નામના બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયા નાના આંતરડામાં ઝેર ઉત્પન્ન કરે છે જે જીવલેણ લક્ષણોનું કારણ બને છે. આનાથી શરીરમાં પાણીનો વધુ પડતો સ્ત્રાવ થાય છે, જેનાથી ઝાડા થાય છે. તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોઈ લો, ખાસ કરીને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને ખોરાક ખાતા પહેલા. માત્ર ચોખ્ખું પાણી પીવો, જેમાં બોટલનું પાણી અથવા જાતે જ ઉકાળેલા પાણીનો સમાવેશ થાય છે. ગરમ ખોરાક ખાઓ અને શક્ય હોય તો બહારનું ખાવાનું ટાળો.
Published at : 27 Dec 2024 03:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
