શોધખોળ કરો

ભારતનું નામ લઈને તાલિબાને પાકિસ્તાનને આપી ધમકી, કહ્યું - જો ઘૂસણખોરી કરી તો....

જો ઘૂસણખોરી કરશે તો મોટી ભૂલ સાબિત થશે; પાકિસ્તાનનો યુદ્ધનો ઇતિહાસ નબળો રહ્યો છે: તાલિબાન

Taliban warns Pakistan: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે, જે તાજેતરના સમયમાં વધુ તીવ્ર બન્યો છે. પાકિસ્તાને તાજેતરમાં અફઘાનિસ્તાનની અંદર આતંકવાદી લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાને પણ કાર્યવાહી કરી હતી. આ વચ્ચે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાલિબાનને લઈને કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તાલિબાનને કચડી નાખ્યા વિના પાકિસ્તાન આગળ વધી શકે તેમ નથી. દરમિયાન પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના એક ભાગ વખાન પર કબજો કરવાની વાત ચાલી રહી છે, જેના પર તાલિબાન ગુસ્સે છે.

તાલિબાનના નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે ભારતનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટર પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની વર્તમાન આર્થિક અને આંતરિક સ્થિતિ એટલી ખરાબ છે કે તે વખાન કોરિડોર પર કબજો કરે અથવા બીજું યુદ્ધ લડે તેવી સ્થિતિમાં નથી. તાલિબાને પાકિસ્તાનના યુદ્ધના ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાનનો યુદ્ધોમાં રેકોર્ડ નબળો રહ્યો છે અને તેને મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને તેમણે 1971ના ભારત અને પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) વચ્ચેના યુદ્ધમાં પાકિસ્તાનની હાર અને શરણાગતિનો ઉલ્લેખ કર્યો હતો, જેને આધુનિક ઇતિહાસની સૌથી મોટી શરણાગતિ ગણવામાં આવે છે.

તાલિબાનના મંત્રીએ પાકિસ્તાનને 1973 અને 1989માં જલાલાબાદ અને કુનાર નદીની લડાઈમાં થયેલી હાર પણ યાદ અપાવી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સેના બાહ્ય યુદ્ધોમાં સતત હારતી આવી છે અને પોતાની સરહદો બહાર ક્યારેય જીતી શકી નથી. તાલિબાને પાકિસ્તાનને પોતાના દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો પર ધ્યાન આપવાની સલાહ પણ આપી હતી.

આ રીતે તાલિબાને પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે કે જો તે અફઘાનિસ્તાનના કોઈપણ ભાગમાં ઘૂસણખોરી કરવાનો અથવા તોડવાની કોશિશ કરશે તો તે તેની મોટી ભૂલ હશે. અગાઉ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે દેશના રાજકીય અને સૈન્ય હિસ્સેદારોને એક થવાની અપીલ કરી હતી અને દેશમાં વધી રહેલા સુરક્ષા સંકટનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો....

ભાજપથી અલગ થવા અને પલટી મારવાને લઈને નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો, કહ્યું – મેં બે વાર.....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget