![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Terrorist Attack In Pakistan: પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 4 ચીની એન્જિનિયરો સહિત 13ના મોત
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રવિવારે (13 ઓગસ્ટ) બપોરે ચીની એન્જિનિયરો પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 4 ચીની નાગરિકો સહિત ઘણા લોકોના મોતના સમાચાર છે.
![Terrorist Attack In Pakistan: પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 4 ચીની એન્જિનિયરો સહિત 13ના મોત terrorist-attack-in pakistan 13-people dead including-4-chinese-engineers Terrorist Attack In Pakistan: પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 4 ચીની એન્જિનિયરો સહિત 13ના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/99bab0208c7ff4627d565961bf68ecbf1691933223179397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રવિવારે (13 ઓગસ્ટ) બપોરે ચીની એન્જિનિયરો પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 4 ચીની નાગરિકો સહિત ઘણા લોકોના મોતના સમાચાર છે. જો કે, પાકિસ્તાન સરકાર અને સેના તરફથી હજુ સુધી મૃત્યુ પામેલા લોકો વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. બલૂચ લિબરેશન આર્મી આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
આતંકવાદી સંગઠનનો દાવો છે કે તેણે ગ્વાદરમાં આજના (13 ઓગસ્ટ)ના હુમલામાં 4 ચીની નાગરિકો અને 9 પાકિસ્તાની સેનાના જવાનો સહિત 13 લોકો માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે ગ્વાદર એ જગ્યા છે જ્યાં ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના ઘણા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. બે વર્ષ પહેલા પણ અહીં ચીની એન્જિનિયરો પર ફિદાયીન હુમલો થયો હતો. ત્યારબાદ 9 એન્જિનિયરો માર્યા ગયા.
ચીનના એન્જિનિયરોને નિશાન બનાવાયા હતા
સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે, BLAના પ્રવક્તા જિયાંદ બલોચે કહ્યું કે, BLA મજીદ બ્રિગેડના બે 'ફિદાયીન'એ આજે ગ્વાદરમાં ચીની એન્જિનિયરોના કાફલાને નિશાન બનાવ્યું હતું. તેણે આ હુમલાને આત્મ-બલિદાનવાળું ઓપરેશન' ગણાવ્યું હતું. જિયાંદે વધુમાં કહ્યું કે, અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ઓછામાં ઓછા ચાર ચીની નાગરિકો અને નવ પાકિસ્તાની સૈન્યના જવાનો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ છે. આ પ્રાથમિક માહિતી છે અને દુશ્મનોના નુકસાનની સંખ્યા વધી શકે છે.
આતંકીએ પોતાને ગોળી મારી લીધી
જિઆંદના જણાવ્યા અનુસાર, ઓપરેશનને સફળતાપૂર્વક સમાપ્ત કર્યા પછી, BLA લડવૈયાઓએ પોતાને ગોળી મારી દીધી હતી. ધ બલૂચિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ, ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલો સવારે લગભગ 9.30 વાગ્યે થયો હતો અને લગભગ બે કલાક સુધી ભીષણ ગોળીબાર ચાલ્યો હતો. જો કે, આ મામલે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સેનાએ નિશ્ચિતપણે બે આતંકવાદીઓને ઠાર કર્યાનો દાવો કર્યો છે.
ચાઈનીઝ એન્જિનિયરોને બુલેટપ્રુફ વાનમાં લઈ જવામાં આવ્યા
હુમલા વિશે વધુ વિગતો આપતા, અંગ્રેજી ભાષાના ચાઇનીઝ અખબાર ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે ત્રણ એસયુવી અને એક વેનના કાફલામાં, તમામ બુલેટપ્રૂફ, 23 ચીની કર્મચારીઓને લઇ જવામાં આવ્યા હતા. આ હુમલા દરમિયાન, એક IED વિસ્ફોટ થયો અને વાન પર ગોળીબાર કરવામાં આવ્યો, જેનાથી કાચ તૂટી ગયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)