શોધખોળ કરો

પેલેસ્ટાઇન પર UNGAમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત મતદાનથી રહ્યું દૂર

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ બુધવારે પેલેસ્ટાઇન દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ ઠરાવનો સ્વીકાર કરી લીધો છે

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ બુધવારે પેલેસ્ટાઇન દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ ઠરાવનો સ્વીકાર કરી લીધો છે જેમાં ઇઝરાયલને તેના કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં તેની "ગેરકાયદેસર હાજરી"ને સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને 124 મતોનું સમર્થન મળ્યું હતું, જ્યારે ભારત સહિત 43 દેશો મતદાનથી દૂર રહ્યા હતા. જ્યારે ઈઝરાયલ, અમેરિકા અને અન્ય 12 દેશોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો.

યુએનજીની બેઠક માટે વૈશ્વિક નેતાઓ ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે ત્યારે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ 26 સપ્ટેમ્બરે 193 સભ્યોની મહાસભાને સંબોધિત કરશે, તે જ દિવસે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પણ ત્યાં હાજર રહેશે.

કબજો ખાલી કરવા માટે 12 મહિનાનો સમય

પ્રસ્તાવમાં જૂલાઇમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) દ્વારા આપવામાં આવેલી સલાહનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે પેલેસ્ટિનિયન પ્રદેશો અને વસાહતો પર ઇઝરાયલનો કબજો ગેરકાયદેસર છે અને તેને ખાલી કરી દેવો જોઇએ. ઇન્ટરનેશનલ કોર્ટે કહ્યું હતું કે આ કામ શક્ય તેટલું જલ્દી કરવું જોઈએ. જો કે, યુએનજીએ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં આ માટે 12 મહિનાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ઇઝરાયલથી આયાત કરતા દેશોને અપીલ

જનરલ એસેમ્બલીનો ઠરાવ સભ્ય દેશોને ઇઝરાયલી વસાહતોમાં બનાવેલા ઉત્પાદનોની આયાત અટકાવવા અને શસ્ત્રો, દારૂગોળો અને સંબંધિત સાધનો પર પ્રતિબંધ મૂકવા માટે કહે છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ ઇઝરાયલ પોતાના કબજા હેઠળના પ્રદેશોમાં કરે છે.

ઠરાવ પસાર થતા પેલેસ્ટાઈન માટે વિજય

આ ઠરાવથી પેલેસ્ટાઈનનો મુદ્દો ફરી એકવાર ઉભો થયો છે એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈઝરાયલના કબજા સામે કડક પગલાં લેવાની અપીલ પણ કરવામાં આવી છે. આને રાજકીય મોરચે પેલેસ્ટાઈનની જીત તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યારે ઈઝરાયલ અને તેના સમર્થક દેશો તરફથી પડકાર વધી શકે છે.

Lebanon Radio Blast: લેબનાનમાં ફરી સીરિયલ બ્લાસ્ટ, પેજર બાદ રેડિયોમાં વિસ્ફોટ, 14નાં મોત, 400થી વધુ ઘાયલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
Embed widget