Indians: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી, 'ગેરકાયદેસર પ્રવાસીઓ'થી ભરેલી પ્રથમ ફ્લાઇટ ભારત રવાના
વ્હાઇટ હાઉસમાં વાપસી બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રથમવાર ગેરકાયદેસર રહેતા ભારતીયોને વતન પરત મોકલ્યા હતા.

US Deportation Indians: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટા પાયે ડિપોર્ટેશન અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત સોમવારે (3 ફેબ્રુઆરી) એક અમેરિકન લશ્કરી વિમાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત માટે રવાના થયું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ અધિકારીઓએ પુષ્ટી કરી હતી કે વિમાન ઓછામાં ઓછા 24 કલાકમાં ભારત પહોંચી જશે.
વ્હાઇટ હાઉસમાં વાપસી બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રથમવાર ગેરકાયદેસર રહેતા ભારતીયોને વતન પરત મોકલ્યા હતા. ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી. અગાઉ, ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેવા માટે સહમત થયું હતું અને લગભગ 18,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લાવવાની વાત કરી હતી.
યુએસ આર્મી પાસેથી પણ મદદ માંગી
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેના આ અભિયાનમાં ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ સેનાની પણ મદદ માંગી છે. આ માટે યુએસ-મેક્સિકો સરહદ પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને ઇમિગ્રન્ટ્સને રાખવા માટે લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત સ્થળાંતર કરનારાઓને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ જેવા દેશોમાં દેશનિકાલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારત સૌથી દૂરનું સ્થાન છે જ્યાં દેશનિકાલ માટે ફ્લાઇટ જશે.
ટ્રમ્પ અને મોદી વચ્ચે ઇમિગ્રેશન અંગે ચર્ચા
ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને પીએમ મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેવા માટે યોગ્ય પગલાં લેશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે સકારાત્મક વાતચીત થઈ અને બંને દેશો વચ્ચે સહયોગ અંગે ચર્ચા થઈ હતી.
ટેરિફ વોરઃ ટ્રમ્પના નિર્ણયથી ચીન અને કેનેડાનું વધ્યું ટેન્શન, પણ ભારતને થશે આ મોટો ફાયદો





















