શોધખોળ કરો

WHO વડાની ચેતવણી, દુનિયામાંથી ક્યારેય ખત્મ નહી થાય કોરોના, રહેશે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી

કમિટિએ અવલોકન કર્યું હતું કે વિશ્વભરની હેલ્થ સિસ્ટમો કોવિડ-19 સાથે સંઘર્ષ કરી રહી છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલે કહ્યું હતું કે છેલ્લા આઠ સપ્તાહમાં કોવિડ-19ને કારણે 1.70 લાખ લોકોના મોત થયા છે. આ એ આંકડા છે જેના રિપોર્ટ સામે આવ્યા છે. આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા આના કરતા ઘણી વધારે હશે.

WHOની ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમરજન્સી કમિટીએ કહ્યું હતું કે કોવિડ-19ને મનુષ્યો અને પ્રાણીઓમાંથી ખતમ કરવો લગભગ અશક્ય છે. શક્ય છે કે આપણે તેના ભયંકર પરિણામોને ઘટાડી શકીએ. લોકોના મૃત્યુને ઘટાડી શકીએ. તેનાથી લોકોને ચેપ લાગતા બચાવી શકાય છે. પરંતુ આ રોગચાળો ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી રહેશે.

કમિટિએ અવલોકન કર્યું હતું કે વિશ્વભરની હેલ્થ સિસ્ટમો કોવિડ-19 સાથે સંઘર્ષ કરી રહી છે. જેના કારણે અન્ય મોટી બીમારીઓ પર પણ ધ્યાન આપવું મુશ્કેલ બની રહ્યું છે. કોવિડ-19 મહામારીના કારણે સમગ્ર વિશ્વની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે. તબીબી કર્મચારીઓની અછત અનુભવાઈ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલે કહ્યું હતું કે મારો સંદેશ સ્પષ્ટ છે. કોરોનાવાયરસને નજરઅંદાજ કરવો એ એક મોટી ભૂલ હોઈ શકે છે. તે આપણને આશ્ચર્યચકિત કરવાનું ચાલુ રાખે છે. તે આપણને મારવાના પ્રયાસો ચાલુ રાખશે. એટલા માટે અમને વધુ તબીબી સાધનો અને તબીબી સ્ટાફની જરૂર છે. આ વાયરસ આપણા માણસો અને પ્રાણીઓમાં કાયમી થઇ ગયો છે. હવે ઘણી પેઢીઓ સુધી તેનો અંત આવવાનો નથી. તેથી જ સૌથી મોટી જરૂરિયાત યોગ્ય રસી અને વધુ રસીકરણની છે. જેથી લોકોને રોગપ્રતિકારક શક્તિ આપી શકાય.

ભારતમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ નોંધાયો હતો. ત્યારથી ભારતમાં કોરોનાના લગભગ સાડા ચાર કરોડ દર્દીઓ નોંધાયા છે. સારી વાત એ છે કે લગભગ 99 ટકા લોકો કોરોનામાંથી સ્વસ્થ પણ થયા છે. ભારતમાં ત્રણ વર્ષમાં કોરોનાની ત્રણ લહેર આવી છે. ભારતમાં કોરોનાની પ્રથમ લહેરની પીક 17 સપ્ટેમ્બર 2020 ના રોજ આવી હતી. તે દિવસે લગભગ 98 હજાર કેસ નોંધાયા હતા. 10 ફેબ્રુઆરી 2021 થી પ્રથમ લહેર નબળી પડી હતી અને કેસ ઓછા થવા લાગ્યા. પ્રથમ લહેર લગભગ 377 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન 1.08 કરોડ કેસ નોંધાયા અને 1.55 લાખ લોકોના મોત થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget