શોધખોળ કરો

WHO : કોરોનાથી પણ ભયાનક મહામારી વેરશે વિનાશ! 2 કરોડ લોકોના થશે મોત!

આગામી રોગચાળો કોવિડ કરતા પણ વધુ ખતરનાક હોઈ શકે છે. જિનીવામાં પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દુનિયાને આ નવા ખતરાની ચેતવણી આપી છે.

Who warns more deadlier virus than covid 19 : કોરોના મહામારી બાદ હવે વિશ્વ પર એક નવો ખતરો મંડરાઈ રહ્યો છે. ડબ્લ્યુએચઓ ચીફ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે આ આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી રોગચાળો કોવિડ કરતા પણ વધુ ખતરનાક હોઈ શકે છે. જિનીવામાં પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દુનિયાને આ નવા ખતરાની ચેતવણી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના હજુ સંપૂર્ણ રીતે ખતમ નથી થયો અને દુનિયા સામે ગમે ત્યારે નવું સંકટ આવી શકે છે. 

જાહેર છે કે, આ પહેલા 5 મેના રોજ WHOએ જાહેરાત કરી હતી કે કોરોના હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી રહી નથી. તેનું કારણ ઝડપથી ઘટતા સક્રિય કેસ અને મૃત્યુના આંકડા હોવાનું કહેવામાં આવ્યું હતું.

બે કરોડ લોકોના જીવ જોખમમાં!

ભારતમાં કોરોનાની બીજી મોટી લહેર દરમિયાન કોરોનાના કારણે થયેલા મોતને લઈને હોબાળો મચ્યો હતો. ત્યારથી દરેક લોકો પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા કે તેઓ મૃત્યુનું આવું દ્રશ્ય ફરી ક્યારેય ન જુએ. આ સ્થિતિમાં તાજેતરમાં આવેલા નવા રોગચાળાના એલર્ટે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. WHOનું કહેવું છે કે, કોરોના મહામારીના કારણે 3 વર્ષમાં વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે. પરંતુ હવે નવી મહામારી એટલે કે જે બિમારીની આગાહી કરવામાં આવી છે તેની સામે આ આંકડો નાનો સાબિત થઈએ શકે છે.

નામ અને ઓળખ હજુ નક્કી નથી

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જારી કરાયેલા રોગચાળાનું નામ અને ઓળખ હજુ નિશ્ચિત કરવામાં આવી નથી. પરંતુ જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી વૈશ્વિક સંસ્થા તરફથી ચેતવણી આવે છે, ત્યારે તે ખરેખર ચિંતાનો વિષય બની જાય છે.

શું તુટશે આ માન્યતા?

ઈતિહાસ સાક્ષી છે કે, છેલ્લી કેટલીક સદીઓથી દુનિયામાં દર 100 વર્ષે કોઈને કોઈ રોગચાળો આવે છે. પ્લેગ વર્ષ 1720 માં ફેલાયો હતો, જેમાં લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ 1820માં એશિયા મહાદ્વીપમાં કોલેરા ફેલાયો, તેમાં પણ લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા. ત્યાર બાદ 1920ની આસપાસ સ્પેનિશ ફ્લૂના કારણે કરોડો લોકોના મોત થયા હતા. 100 વર્ષ પછી પણ વર્ષ 2020માં કોરોના મહામારી આવી અને આખી દુનિયા લોકડાઉન થઈ ગઈ. આ સ્થિતિમાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી બાદ સવાલ ઉઠી રહ્યો છે કે, શું આ સંયોગ કે દંતકથા છે કે દર 100 વર્ષે મહામારી આવે છે તે તૂટશે? જ્યારે ફરી એકવાર લોકોને લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે.

મહામારી એટલે શું?

જ્યારે કોઈ રોગ વિવિધ દેશોમાં ફેલાય છે, ત્યારે તે રોગચાળાનું સ્વરૂપ લે છે. ડબ્લ્યુએચઓ અનુસાર, જ્યારે કોઈ રોગ બે શરતો પૂરી કરે છે ત્યારે તેને રોગચાળો કહી શકાય. પ્રથમ- જ્યારે તે રોગ દુનિયાના એક દેશથી બીજા દેશમાં ફેલાય છે, ત્યારે તે મહામારીનું લક્ષણ બને છે અને બીજું- તે રોગને લગતા તમામ લક્ષણો દર્દીમાં દેખાવા જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Makar Sankranti 2026:મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
Embed widget